Posts

Showing posts from May, 2025

જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

Image
ચોમાસાને કારણે થતી જાન-માલની નુકસાની અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સંલગ્ન વિભાગોને સૂચના આપતાં જિલ્લા કલેક્ટરશ્રી આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લામાં ઓછામાં ઓછી જાન-માલની નુકસાની થાય અને જનજીવન અસરગ્રસ્ત ન બને તે હેતુથી જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાને કારણે થતી જાન-માલની નુકસાની અટકાવવા માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તથા ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી.તેમણે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી.કલેક્ટરશ્રી દ્વારા બચાવ અને રાહત કામગીરી માટે રેસ્ક્યુ, સર્વે તથા સર્ચ ટીમો તૈયાર રાખવા, આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરવા, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોની યાદી બનાવવા, તરવૈયાઓ અને આપદા મિત્રોની યાદી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા અને પા...

જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વોકાથોનનું આયોજન કરાયું.

Image
  ૧.૬૦ કી.મી.ની વોકાથોનમાં જિલ્લા પોલીસ તથા હોમગાર્ડ્સના જવાનો, NCC કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો જામનગર તા.29 મે, તા. ૫મી જૂન, જેને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ ની થીમ ‘Ending Plastic Pollution Globally’ ને કેન્દ્રમાં રાખી વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે, તા. ૨૨/૦૫/૨૦૨૫ થી તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયુ છે.જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫’ ની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ જાગૃતિ માટે એક વિશેષ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકાથોન અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગરથી શરૂ થઈ ટાઉનહોલ, તીન બત્તી ચોક, લીમડા લેન થઈને ફરીથી અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતે સંપન્ન થઈ હતી. કુલ ૧.૬૦ કી.મી.ની આ વોકાથોનમાં જિલ્લા પોલીસના જવાનો, હોમગાર્ડ્સ જવાનો, NCC ...

જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે કોવિડ અંગેની સમીક્ષા બેઠક યોજી જિલ્લાની આરોગ્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી

Image
કલેક્ટરશ્રીએ જિલ્લામાં RTPCR કીટની ઉપલબ્ધતા, કોવિડ પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી ટ્રેસિંગ, અને જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ્સની કાર્યક્ષમતા વિશે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી જામનગર તા.27 મે, જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતિ અને તેની સામેની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં, કલેક્ટર શ્રી ઠક્કરે ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ પાસેથી જિલ્લામાં કોવિડની પ્રવર્તમાન સ્થિતિ, સંક્રમણ દર, અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે RTPCR કીટની ઉપલબ્ધતા, કોવિડ પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી ટ્રેસિંગ, અને જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ્સની કાર્યક્ષમતા જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ ઝીણવટભરી ચર્ચા કરી માહિતી મેળવી હતી.સાથે જ જો કોવિડ અંગેના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અથવા આઇસોલેટ થવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, એમ.પી.શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન શ્રી એસ.એસ.ચેટ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ કરાવ્યો

Image
છેલ્લા 11 વર્ષમાં, આધુનિક માળખાગત સુવિધાઓના નિર્માણ માટે અભૂતપૂર્વ ગતિએ કામ થયું છે: પ્રધાનમંત્રી દેશે આધુનિક બની રહેલા રેલવે સ્ટેશનોનું નામ અમૃત ભારત સ્ટેશન રાખ્યું છે, આજે આમાંથી 100થી વધુ અમૃત ભારત સ્ટેશન તૈયાર છે: પ્રધાનમંત્રી અમે સિંચાઈ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી રહ્યા છીએ અને નદીઓને જોડી રહ્યા છીએ: પ્રધાનમંત્રી અમારી સરકારે ત્રણેય સશસ્ત્ર દળોને છૂટ આપી, ત્રણેય દળોએ મળીને એવું ચક્રવ્યૂહ બનાવ્યું કે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવાની ફરજ પડી: પીએમ દુનિયા અને દેશના દુશ્મનોએ જોયું છે કે જ્યારે 'સિંદૂર' 'બારૂદ'માં ફેરવાય છે ત્યારે શું થાય છે: પ્રધાનમંત્રી આતંકવાદ સામે લડવા માટે ઓપરેશન સિંદૂરએ ત્રણ સિદ્ધાંતો નિર્ધારિત કર્યા છે: પ્રધાનમંત્રી હવે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાનને દરેક આતંકવાદી હુમલા માટે ભારે કિંમત ચૂકવવી પડશે અને આ કિંમત પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની અર્થવ્યવસ્થા દ્વારા ચૂકવવામાં આવશે: પ્રધાનમંત્રી ભારતીયોના જીવન સાથે રમવા બદલ પાકિસ્તાનને હવે ભારે કિંમત ચૂકવવી પડશે: પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં 26,000 કરોડ...

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, નક્સલવાદને નાબૂદ કરવાના યુદ્ધમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના નારાયણપુરમાં એક ઓપરેશનમાં 27 ખતરનાક માઓવાદીઓને નિષ્ક્રિય કર્યા છે

Image
ઠાર કરાયેલા 27 ખતરનાક માઓવાદીઓમાં નમ્બાલા કેશવ રાવ, ઉર્ફે  બસવરાજુ, સીપીઆઈ-માઓવાદીના મહાસચિવ, ટોચના નેતા અને  નક્સલ ચળવળની કરોડરજ્જુનો સમાવેશ થાય છે નક્સલવાદ સામે ભારતની લડાઈના ત્રણ દાયકામાં આ પહેલી વાર છે  જ્યારે આપણા દળો દ્વારા મહાસચિવ કક્ષાના નેતાને નિષ્ક્રિય  કરવામાં આવ્યો છે ગૃહમંત્રીએ આ મોટી સફળતા માટે બહાદુર સુરક્ષા દળો અને  એજન્સીઓને બિરદાવ્યા છે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ પૂર્ણ થયા પછી, છત્તીસગઢ, તેલંગાણા અને  મહારાષ્ટ્રમાં 54 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને  84 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે મોદી સરકાર 31 માર્ચ 2026 પહેલા નક્સલવાદને નાબૂદ કરવા માટે  કટિબદ્ધ છે

આપણાં સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી રહી છે.

Image
ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891એ પહોંચી છે. પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હતા પરંતુ હવે તેમનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે અને અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે. વધુમાં, પહેલાં માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરીયાકિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે.  ગુજરાતમાં સિંહની સંખ્યામાં થયેલા વધારા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંવર્ધન પ્રયાસોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ “લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ”માં જુદા-જુદા 21 લાયન કોરીડોરની ઓળખ કરીને સિંહોની વધતી જતી વસતિના વ્યવસ્થાપન અને તેની સુરક્ષા સહિતના મુદ્દાઓને કારણે ભવિષ્યમાં પણ ગુજરાતમાં સિંહોની વસતિ ખૂબ જ વધશે તેવી આશા છે. બરડાના જંગલોમાં સિંહોને વસાવીને તેમના માટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસન...

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.

Image
ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચ એ તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો તેમજ મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાયવર્સિટી તથા મેન્ગ્રુવને જોખમ રૂપ એવા અલગ અલગ સ્થળ પર આવેલા કુલ - ૭ અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે રહીને સંકલનમાં રહીને કરવામાં આવેલ છે.   જમીન ક્ષેત્રફળ :- અંદાજિત ૧૫,૦૦૦ સ્ક્વેર ફૂટ  બાંધકામ ક્ષેત્રફળ :- અંદાજિત ૯,૦૦૦ સ્કવેર ફૂટ  ગે.કા. કબજો :- આશરે ૧૦ વર્ષ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

Image
                                               શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) પ્રોહીબીશન ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી પ્રોહીબીશન બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા નાઓના દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા રૂષીરાજસિંહ વાળા ને સંયુકત રીતે ખાનગી બાતમીદારોથી હકિકત મળેલ કે, જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપા...

જામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૂ કરવા માટે સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે

Image
જામનગર તા.૧૪ મે,સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરુ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબ્બકામાં ૪ ઝોનમાં ૪ જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ (DLSC) શરુ કરવા માટે જામનગર જિલ્લાની રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે, સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા.૧૫/૦૫/૨૦૨૫ થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ અંગેની ઓનલાઈન અરજી sportsauthority.gujarat.gov.in વેબસાઈટ પરથી કરી શકશે. જ્યારે ‘જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ” પસંદગી માટેના ધારા-ધોરણ રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઠરાવ મુજબના રહેશે. જે નીચે મુજબ છે.  UGC માન્ય યુનિવર્સીટી અથવા UGC માન્ય યુનિવર્સીટી સાથે સંલગ્ન કોલેજ. રમના મેદાનો માટે ઓછામાં ઓછી પ એકર જમીનની ઉપલબ્ધિ જેમાં યુનિવર્સીટી/કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટ છાટ આપી શકાશે. તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/યુનિવર્સીટી ને અગ્રતા આપવામાં આવશે. ઓ...

ભારતને ઇન્દિરા ગાંધીની જરૂર! યુદ્ધ વિરામ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા કેમ થઇ રહી છે

Image
  ભારતને ઇન્દિરા ગાંધીની જરૂર! યુદ્ધ વિરામ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા કેમ થઇ રહી છે મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ શરુ થયો હતો, ભારતે ઓપરેશન સિંદુર (Operation Sindoor) શરુ કરીને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નષ્ટ કર્યા હતાં. ત્યાર બાદ બંને પક્ષોએ એ એક બીજા પર ડ્રોન અને રોકેટ હુમલા શરુ કર્યા હતાં, બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ ઉભી થઇ હતી. એવામાં દુનિયાભરના દેશોએ ભારત અને પાકિસ્તાનને શાંતિ સંયમ રાખવા અપીલ કરી હતી. એવામાં ગઈ કાલે 10મી મેની સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ(India-Pak ceasefire)ની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર બાદથી સોશિયલ મીડિયા પર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi) વિષે ચર્ચા ચાલી રહી છે.  અમેરિકાના દાવા મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગઈ કાલે બપોરે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાતચીત બાદ, ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે.’ ઇન...

પ્રવર્તમાન તણાવના વાતાવરણ સામે રાજ્યના સરહદી જિલ્લાઓની સજ્જતા સહિતની સ્થિતિની સર્વગ્રાહિ સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Image
ગૃહ રાજ્ય મંત્રીશ્રી – મુખ્ય સચિવશ્રી અને વરિષ્ઠ સચિવશ્રીઓ બેઠકમાં જોડાયા સરહદી જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓએ પોતાના જિલ્લામાં હાથ ધરાયેલા સુરક્ષા સલામતી પ્રબંધનની વિગતો વિડિયો કોન્ફરન્સથી આપી સરહદી ગામોમાં ઈવેક્યુએશન પ્લાન્ટ – આપાતકાલમાં નાગરિક સંરક્ષણની ગતિવિધિઓ – આરોગ્ય સેવાઓ અને કોમ્યુનીકેશન નેટવર્ક સીસ્ટમ જાળવી રાખવા સહિતના વિષયોની મુખ્યમંત્રીશ્રીએ સમિક્ષા કરીને માર્ગદર્શન આપ્યું રાજ્યના સરહદી વિસ્તારોમાં એરફોર્સ, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ જેવી કેન્દ્રીય એજન્સીઓની સતર્ક કામગીરીની સરાહના કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.  મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીન અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ...