Posts

દેશની ઊર્જા સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભી કરતી ખાવડીની ટ્રાન્સપોર્ટ કાર્ટેલ નેસ્તનાબૂદ કરવી અનિવાર્ય

 કડક કાર્યવાહી નહીં થાય તો જામનગરની સ્થિતિ “સ્ટેટ ઓફ હોર્મુઝ” જેવી થવાનો ભય   જામનગર નજીક આવેલી મોટી ખાવડી ખાતે સ્થિત દેશની અતિ મહત્વપૂર્ણ રિફાઈનરીમાંથી દેશના વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને એલ.પી.જી. (રાંધણ ગેસ) જેવી જીવનજરૂરિયાતની અતિ આવશ્યક ચીજવસ્તુઓનું મોટા પાયે પરિવહન કરવામાં આવે છે. દેશભરમાં વિવિધ વિતરણ કંપનીઓ દ્વારા રસ્તા અને રેલવે માર્ગે આ ઇંધણ પહોંચાડવાની વ્યવસ્થા કાર્યરત છે. જુદી જુદી કંપનીઓ પોતાના ટેન્કરો મારફતે મોટી ખાવડી રિફાઈનરીમાંથી ઇંધણ ભરીને દેશના ચારે ખૂણે પહોંચાડે છે અને દેશની ઇંધણ પુરવઠા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તાજેતરમાં મોટી ખાવડી વિસ્તારમાં સર્જાયેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર ઇંધણ પરિવહન વ્યવસ્થા સામે ચિંતાજનક પ્રશ્નો ઊભા કર્યા છે. માહિતી અનુસાર, કેટલાક સ્થાનિક તત્વોએ ગેરકાયદેસર મંડળી રચીને બહારથી આવતા ટેન્કર ચાલકો સામે ધાકધમકીનો માહોલ ઉભો કર્યો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ ટેન્કર ડ્રાઈવરો પાસેથી બિલ્ટી સહિતના મહત્વના દસ્તાવેજો આચકી લેવામાં આવ્યા અને કેટલાક દસ્તાવેજો ફાડી નાખવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ થવા પામી છે આ ગેરકાયદેસર દબાણ અને ધમકીન...

જામનગરમાં ગુંજ્યું ‘જિંદગી ઝિંદાબાદ’: કેન્સરને હરાવનારા અસલી ‘ધુરંધરો’નું આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા ભવ્ય સન્માન

Image
જામનગર: કહેવાય છે કે ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’. આ વાતને સાર્થક કરી બતાવી છે એવા સેંકડો કેન્સર વિજેતાઓએ , જેમના સંઘર્ષ અને વિજયને વધાવવા માટે ગત રવિવારે જામનગરની આયુષ કેન્સર હોસ્પિટલ ખાતે એક ભાવસભર કાર્યક્રમ ‘કેન્સરના અસલી ધુરંધર’ યોજાઈ ગયો. વિશ્વ કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આ સમારોહમાં જ્યારે કેન્સર સામે જંગ જીતનારા વિજેતાઓ મંચ પર આવ્યા , ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી આયુષ કેન્સર હોસ્પિટલ ખાતે યોજાયેલા આ સમારોહમાં 170 થી વધુ કેન્સરના ધુરંધરો , 300 થી વધુ તેમના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં શહેરી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જીવન પ્રત્યેના વિશ્વાસ અને હકારાત્મકતાનો ઉત્સવ બની રહ્યો હતો. આ પ્રસંગે કેન્સર વિજેતા ધુરંધરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન અનેક ધુરંધરોએ પોતાના રોગ દરમિયાનનો અનુભવ , સહન કરેલી તકલીફો , સંઘર્ષ અને હોસ્પિટલ તરફથીમળેલા પારિવારિક સહયોગ વિશે વાત કરતા સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. હાલાર પંથકમાં વર્ષ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલ અનેક પરિવારો માટે આશ...

PMJAY યોજનાની અપ્રુવલ બાદ જ ઓપરેશન કર્યા છે: સરકાર સમક્ષ સસ્પેન્શન પાછુ ખેંચવા અમો અમારો પક્ષ રાખીશું.

Image
અમોને ઓસવાળ આયુષ હોસ્પિટલ ને ગઈ કાલ બપોર ના ૧૨ કલાકે પીએમજેએવાય યોજના તરફ થી એક મેઈલ મળેલ જેમાં ઓશવાળ આયુષ હોસ્પિટલ ના કાર્ડિયાક વિભાગ ને પીએમજેએવાય યોજના માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ અને સાથે પીએમજેએવાય યોજના માંથી હોસ્પિટલ ના કાર્ડિયોલોજીસ્ટ ને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ જે અંગે ૩૫ દર્દીઓ ની ક્વેરી પીએમજેએવાય યોજના તરફ થી આપવામાં આવેલ જે અંગે અમો જણાવવા માંગીએ છીએ કે પીએમજેએવાય યોજના ના પ્રોસેસ ફલો મુજબ પીએમજેએવાય યોજના ની કોઇપણ સારવાર માટે એક અપ્રુવલ પ્રોસેસ હોઈ છે. જે અમો દ્વારા અમારા આ પીએમજેએવાય યોજના હેઠળ ની ક્વેરી વાળા દરેક ૩૫ દર્દીઓ માં અપ્રુવલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે. વધુમાં કોઈપણ કાર્ડિયાક પ્રોસીજર પહેલા તેમના માટે ના એન્જીયોગ્રાફી ના વિડીયો, જરૂરી રીપોર્ટસ વગેરે પીએમજેએવાય યોજના ના પોર્ટલ પર અપલોડ કરવાનું હોઈ અને પીએમજેએવાય યોજના ની એક્સપર્ટ ટીમ આ રીપોર્ટસ અને વિડીઓ જોયા અને રીવ્યુ કાર્ય બાદ જ સ્ટેન્ટ પ્રોસીજર માટે અપ્રુવલ આપતા હોઈ છે જે અમોએ પણ આ દરેક દર્દી માં પીએમજેએવાય યોજના ની અપ્રુવલ આવ્યા બાદ જ આ પ્રોસીજારો કરેલ છે.  સરકારી શ્રી આવનારા દિવસો માં બોલ...

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

Image
શ્રી મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને આગંતુક ભક્તોને સુરક્ષિત, આરામદાયક અને ગરિમાપૂર્ણ નિવાસની સુવિધા પૂરી પાડશે. તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ, તેમજ પુષ્ટિમાર્ગીય થાળ-પ્રસાદ પ્રણાલિ પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે. આ પવિત્ર પહેલને પૂજ્ય શ્રી વિશાલબાવા સાહેબની દિવ્ય પ્રેરણા અને શ્રી અનંત અંબાણીના સમર્પિત પ્રયાસોથી વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાથદ્વારા પધારતા દરેક ભક્તને સેવા અને ભક્તિનાં મૂલ્યો જાળવતી સંયોજિત, કરુણાસભર અને માનસભર સેવા પ્રાપ્ત કરવાનો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ શુભપ્રસંગે ...

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

Image
પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

ગુજરાત ઇન્ફોર્મેશન હવે whatsapp પર માત્ર ક્યુઆર કોડ સ્કેન કરો અને આંગળીના ટેરવે મેળવો વૈવિધ્યસભર માહિતી

Image
સ્પર્ધાત્મક યુગમાં વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે કરંટ અફેર્સથી અપડેટ રહેવું આ માધ્યમ થકી હવે સરળ આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં માત્ર ફોન એવું સાધન છે, જે દરેક વ્યક્તિ પાસે હંમેશા હાથવગું રહે છે. ત્યારે સોશિયલ મીડિયાના આ યુગમાં કોઈપણ માહિતી ગણતરીની ક્ષણોમાં મેળવવી આસાન બની રહી છે. જેના બે પાસા છે, એક સારું અને એક નબળું. સારી વાત એ છે કે, તમને દુનિયાના કોઈપણ ખૂણાની ઘટનાની જાણકારી મિનિટમાં મળી રહે છે, જ્યારે તેનું નબળું પાસું એ છે કે, મળેલા સમાચારની ખરાઈ કે તેનું ઓથેન્ટિકેશન કેટલું,?આ એક મોટો પ્રશ્ન બની જાય છે. જેના જવાબમાં ગુજરાત ઇન્ફોર્મેશનની આ નવી પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે બાળકો યુવાનો વૃદ્ધો દરેકને અન્ય કોઈપણ એપ વાપરતા આવડે કે ન આવડે પણ whatsapp નો વપરાશ તેવો સરળતાથી કરી શકે છે. ત્યારે ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા નવી whatsapp ચેનલ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા કોઈપણ વ્યક્તિ દરેક જિલ્લાની વિગતો, પ્રેસ નોટ,નવીન ઘટનાઓની માહિતી, વિકાસ કાર્યો વગેરે સેકન્ડોમાં મેળવી શકે છે.  આજના સ્પર્ધાત્મક યુગમાં વિવિધ પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે કરંટ અફે...

પરંપરાગત ચિકિત્સાનું સૌથી પૌરાણિક શાસ્ત્ર :આયુર્વેદ ક્ષેત્ર આરોગ્યનું આરાધનાલય એટલે આઇ.ટી.આર.એ. જામનગર

Image
જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ) એ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રનું સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન છે. આજ રોજ તા. ૧૨ જૂલાઇના રોજ સંસ્થાનો પ્રથમ પદવિદાન સમારોહ કેન્દ્રિય આયુષ મંત્રી પ્રતાપરાવજાધવની અધ્યક્ષતામાં યોજવામાં આવી રહ્યો છે. આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી અને તેની સમગ્ર આઇ.ટી.આર.એ.ની ટીમ દ્વારા ઇટ્રાના પ્રથમ પદવિદાન સમારંભ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.  આ પદવિદાન સમારોહમાં કુલ ૨૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. જેમાં એમ.ડી./એમ.એસ.ના ૧૪૩ તબીબી વિદ્યાર્થીઓ, એમ. ફાર્મ આયુર્વેદના ૩૫, એમ.એસ.સી. મેડિશ્નલ પ્લાન્ટના ૨, ડિપ્લોમા આયુર્વેદ ફાર્મસીના ૩૩, ડિપ્લોમા નેચરોપેથીના ૧૮, પી.જી.ડી.વાય.એન.ના ૩ વિદ્યાર્થીઓ એ સમારોહમાં હાજરી આપી પદવી ગ્રહણ કરી હતી. આયુર્વેદનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પદવિદાનમાં પોતાની ડિગ્રી મેળવી હતી. સમારોહમાં પાંચ વર્ગમાં સૌથી ઉત્તમ અને ઉચ્ચાત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યું છે વધુમાં શ્રેષ્ઠ સંશ...