ભારતને ઇન્દિરા ગાંધીની જરૂર! યુદ્ધ વિરામ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા કેમ થઇ રહી છે
ભારતને ઇન્દિરા ગાંધીની જરૂર! યુદ્ધ વિરામ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા કેમ થઇ રહી છે
મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ શરુ થયો હતો, ભારતે ઓપરેશન સિંદુર (Operation Sindoor) શરુ કરીને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નષ્ટ કર્યા હતાં. ત્યાર બાદ બંને પક્ષોએ એ એક બીજા પર ડ્રોન અને રોકેટ હુમલા શરુ કર્યા હતાં, બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ ઉભી થઇ હતી. એવામાં દુનિયાભરના દેશોએ ભારત અને પાકિસ્તાનને શાંતિ સંયમ રાખવા અપીલ કરી હતી. એવામાં ગઈ કાલે 10મી મેની સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ(India-Pak ceasefire)ની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર બાદથી સોશિયલ મીડિયા પર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi) વિષે ચર્ચા ચાલી રહી છે.
અમેરિકાના દાવા મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગઈ કાલે બપોરે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાતચીત બાદ, ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે.’
ઇન્દિરા ગાંધીના નિવેદનો વાયરલ:
ટ્રમ્પે આ જાહેરાત કાર્ય બાદ ભારત અને પાકિસ્તાનની સરકારોએ પણ યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. જોકે રાત્રે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલંઘન કરવામાં આવ્યું હતું, જેની સામે ભારતે ચેતવણી જાહેર કરી હતી. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અંગે તત્કાલીન પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નિવેદનો વાયરલ થયા હતાં, આ અંગે ઘણી ડીબેટ્સ પણ શરુ થઇ હતી.
ભારતે ઓપરેશન સિંદૂર શરુ કર્યાના ચાર દિવસમાં જ યુદ્ધવિરામ જાહેર કરતા કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તા, સમર્થકો અને કેટલાક અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને બિરદાવી રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ઇન્દિરા ગાંધીએ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન(Rechard Nixon)ની યુદ્ધ વિરામની અપીલ ફગાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ ઇન્દિરા ગાંધીને ‘લોખંડી સ્ત્રી’ (Iron Lady) ગણાવતા, વડાપ્રધાન મોદી સાથે સરખામણી કરી રહ્યા છે.
Comments
Post a Comment