Posts

Showing posts from March, 2022

જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને બેંકર્સ કમિટીની બેઠક મળી

Image
 આવતા નાણાકીય વર્ષમાં બેંકો દ્વારા જામનગર જિલ્લામાં રૂ.૫૭૫૨.૨૬ કરોડનું ધિરાણ કરાશે બેંકો દ્વારા કૃષિ ક્ષેત્રમાં રૂ.૩૪૫૫.૯૭ કરોડ, મધ્યમ અને નાના ઉદ્યોગ ક્ષેત્રમાં રૂ.૧૮૪૭.૧૭ કરોડ, શિક્ષણ ક્ષેત્રમાં રૂ.૧૦.૧૩ કરોડ, આવાસ ક્ષેત્રમાં રૂ.૩૦૦.૨૬ કરોડ તથા અન્ય અગ્રીમ ક્ષેત્રમાં રૂ.૧૨૩.૭૨ કરોડનું ધિરાણ કરાશે જામનગર તા.૩૧ માર્ચ, જામનગર જિલ્લામાં લીડ બેંક તરીકે ફરજ બજાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એકમે સમગ્ર જિલ્લાનો વર્ષ-૨૦૨૨-૨૩ નો રૂ.૫૭૫૨.૨૬ કરોડનો અગ્રીમ ક્ષેત્રનાં ધિરાણનો પ્લાન બનાવી જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી સમક્ષ અમલીકરણ માટે રજૂ કરેલ છે. ક્રેડીટ પ્લાનનાં અમલીકરણ અર્થે વિમોચન કરવા માટેની લીડ બેંક દ્વારા યોજવામાં આવેલ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘીએ લીડ બેંક જામનગરના સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે તમામ બેંકો દ્વારા અગ્રીમતા પ્રાપ્ત ક્ષેત્રોને ૧૦૦% ધિરાણ કરી લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં આવશે તેમાં બેમત નથી.વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂ. ૪૫૯૨.૭૨ કરોડના ધિરાણ સામે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં રૂ. ૫૦૪૧.૧૫ કરોડનું ધિરાણ કરીને સમગ્ર વર્ષનો લક્ષ્યાંક ડીસેમ્બર-૨૦૨૧ માં જ પૂર્ણ કરેલ છે અને ૧૦૯%...

મંત્રી શ્રી રાઘવજી પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદના વિધાનસભા ગૃહમાં કવિતારૂપે પ્રગટ થઇ

Image
 લોકશાહીના મંદીરમાં જગતના તાત એવા ખેડૂતની વાત આગવી શૈલીમાં વ્યક્ત કરતાં કૃષિમંત્રીશ્રી પોતાના મતક્ષેત્રના લોકોનો આગવો અવાજ બનેલા શ્રી રાઘવજીભાઇના કવિતને સૌ સભ્યોએ વધાવી લીધુ જામનગર તા.30, મંગળવારે ગુજરાતની વિધાનસભા ગૃહમાં બજેટમાં કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા દરમિયાન મંત્રી શ્રી રાઘવજી પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદના કવિતારૂપે પ્રગટ થઇ હતી.  જમીનથી જોડાયેલાં જન પ્રતિનિધિ અને રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જાતે જ લખેલી એક કવિતા વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ લોકશાહીના મંદીરમાં જગતના તાત એવા ખેડૂતની વાત આમ આગવી શૈલીમાં વ્યક્ત કરી હતી.   પોતાના મતક્ષેત્રના લોકોનો વિધાનસભાગૃહમાં આગવો અવાજ બનેલા શ્રી રાઘવજીભાઇના કવિતને સૌ અભ્યોએ વધાવી લીધું હતું.  આ કાવ્યમાં કૃષિમંત્રીશ્રીએ ખૂબ જ સહજ શૈલીમાં જગતનો તાત સમૃદ્ધ બને અને કૃષિ ક્ષેત્ર વિકાસના સીમાડાઓ સર કરે તેવી મંગલ કામના વ્યકત કરી છે.  મંત્રીશ્રી લખેલું આ કાવ્ય અક્ષરશ: અત્રે પ્રસ્તુત છે: ખેડૂતનું હિત મારા હૈયે વસ્યું, એ હિત કાજે મે આયખું ઘસ્યું. ...

શિવરાજપુર બીચ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૨૫ કલાકારો દ્વારા સાંસ્કૃતિક અમૃત યાત્રા કાર્યક્રમ યોજાયો

Image
દેશભક્તિ ગીતો અને આઝાદી સાથે સંકળાયેલા પ્રસંગોને વર્ણવતો અદભૂત મલ્ટીમીડીયા શો રજૂ કરાયો મતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ – ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ખાતે  ૧૨૫ થી વધુ કલાકારો દ્વારા સંગીત, નૃત્ય અને નાટ્યના જાજરમાન જલસાનો “સાંસ્કૃતિક અમૃત યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યના પસંદ કરાયેલા  ૭૫  શહેરો ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  સાંસ્કૃતિક અમૃત યાત્રાના શિર્ષક હેઠળ વિવિધ કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલ અનેક ઘટનાઓને મલ્ટી મીડીયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વધુમાં વધુ કલાકારોને સમાવીને રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ અપનાવી રાજ્ય સરકાર દ્વારા આયોજીત આ કાર્યક્રમ અંતર્ગત રાગીણી પંચાલ, હિમાંશુ ચૌહાણ, ઈશાની દવે અને હાર્દીક દવે કલાકારોએ પોતાના સ્વરો રેલાવ્યા હતા. આ ઉપરાંત કાજલ ઔઝા વૈદ્યએ પોતાની આગવી શૈલીમાં આઝાદીની અનોખી કેટલીક વાતો કરી હતી.          આ પ્રસંગે દ્વારકા નગરપાલિકા પ્...

સૌરાષ્ટ્રના રાજકોટ-જામનગર હાઇવે પર આવેલ ફલ્લા નજીક બોલેરો પીકઅપ વાન પલ્ટી મારતા ૧૦ વ્યકિત ઈજા

Image
સૌરાષ્ટ્રના રાજકોટ-જામનગર હાઇવે પર આવેલ ફલ્લા નજીક બોલેરો પીકઅપ વાન પલ્ટી મારતા ૧૦ વ્યકિત ઈજા જેમા ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે અને જી.જી હોસ્પિટલ ખાતે ખસેડયાની વિગતો મળી વધુ વિગતો મેળવા રહી છે.. દર્શન માટે જઈ રહ્યાનું મનાય છે.

INS વાલસુરાને પ્રેસિડેન્ટસ કલર એવોર્ડથી સન્માનિત કરતા રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ

Image
રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા અને સક્ષમ સમુદ્રી યોદ્ધાઓનું નિર્માણ કરવા માટે વાલસુરા દ્વારા સતત પ્રયાસોની રાષ્ટ્રપતિશ્રીએ પ્રશંસા કરી નેવીના ૨૪ ટુકડીઓના ૧૫૦ જવાનો દ્વારા વિશેષ પરેડનું આયોજન કરી ગાર્ડ ઓફ ઓનર અપાયુ રાષ્ટ્રપતિશ્રી તથા રાજ્યપાલશ્રીના વરદ હસ્તે પોસ્ટલ કવર તેમજ INS વાલસુરાની કોમેમોરેટીવ બુકનું વિમોચન કરાયુ જામનગર તા.૨૫ માર્ચ, ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે INS વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટસ કલર અવોર્ડ એનાયત કર્યો હતો.જેમાં યોજવામાં આવેલ પરેડમાં 'નિશાન અધિકારી' લેફ્ટનન્ટ અરુણ સિંહ સાંબ્યાલે યુનિટ વતી રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મેળવ્યો હતો.  આ પ્રસંગે નેવીના ૧૫૦ જવાનો દ્વારા રાષ્ટ્રપતિશ્રી માટે ગાર્ડ ઓફ ઓનર પરેડ યોજી હતી અને નેવલ બેન્ડની ધૂન પર ગર્વથી કૂચ કરી હતી. શાંતિ અને યુદ્ધ બંનેમાં રાષ્ટ્રને આપેલી અસાધારણ સેવાની માન્યતામાં લશ્કરી એકમને રાષ્ટ્રપતિનું નિશાન આપવામાં આવે છે.  ભારતીય નૌકાદળએ પ્રથમ ભારતીય સશસ્ત્ર દળ હતું, જેને અગાઉ ૨૭ મે ૧૯૫૧ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટસ કલર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ પ્રસંગોચિત ઉદબોધન ક...

હાપા-કટરા અને જામનગર-કટરા ટ્રેનમાં કોચ વધારવામાં આવશે મુસાફરોને મળશે ફર્સ્ટ એસી કોચની સુવિધા

Image
જામનગર તા.૨૧ માર્ચ, મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની બે જોડી ટ્રેનોમાં અન્ય કોચ ઉપરાંત વધારાના ફર્સ્ટ એસી કોચ ઉમેરીને હાપા- કટરા અને જામનગર-કટરા ટ્રેનોમાં સુવિધા વધારવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૧૨૪૭૫/૧૨૪૭૬ હાપા – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં એક ફર્સ્ટ એસી, એક થર્ડ એસી અને બે જનરલ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ હાપા થી ૧૨ જુલાઈ, ૨૦૨૨ થી અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ૧૧ જુલાઈ, ૨૦૨૨ થી જોડવામાં આવશે. તદઉપરાંત ટ્રેન નંબર ૧૨૪૭૭/૧૨૪૭૮ જામનગર – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં એક ફર્સ્ટ એસી, એક થર્ડ એસી અને બે જનરલ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ જામનગર થી ૧૩ જુલાઈ, ૨૦૨૨થી અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ૧૦ જુલાઈ, ૨૦૨૨ થી જોડવામાં આવશે.         ઉપરોક્ત તમામ ટ્રેનોમાં કુલ ૨૨ કોચ હશે જેમાં ૧ ફર્સ્ટ એસી, ૧ સેકન્ડ એસી, ૬ થર્ડ એસી, ૬ સેકન્ડ સ્લીપર, ૪ જનરલ કોચ, ૧ પેન્ટ્રી કાર અને ૨ જનરેટર વાન કોચનો સમાવેશ થાય છે.         ટ્રેન નંબર ...

રેસ્ટોરન્ટ સંચાલક બાવાજી પરિવારના પતિ પત્ની બે પુત્રો અને પુત્રી સાથે ગુમ

Image
જામનગરના ગોકુલ નગર રડાર રોડ વિસ્તારમાં આવેલ નવાનગર શેરી નંબર-5 રહેતા રેસ્ટોરન્ટ સંચાલક બાવાજી પરિવારના પતિ પત્ની બે પુત્રો અને પુત્રી સાથે પાંચ લોકો 11 માર્ચથી એકાએક ઘર છોડી ચાલ્યા ગયા છે પહેલી રીતે પરિવાર ગુમ થવાની ઘટનાને લઈને જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ પણ નોંધાય છે ત્યારે આ પરિવારના ભાડેથી  રહેતા નવાનગર સોસાયટી-5 માં આવેલા ભાડાના મકાન અને ગોકુલ નગર જકાતનાકા પાસે ચલાવતા બજરંગ રેસ્ટોરન્ટ ઉપરોક્ત તસ્વીરમાં નજરે પડે છે આ ઉપરાંત ગુમ થયેલા બાવાજી પરિવારના પાંચેય પરિવારજનો નજરે પડે છે.  જામનગર સીટી સી ડીવી.પો.સ્ટે. ગુમ રજીનંબર-૨૧/૨૦૨૨ તા.૧૩/૦૨/૨૦૨૨ ના કામે ગુમ થનાર (૧)અરવિંદભાઇ હેમતભાઇ નિમાવત જાતે-બવાજી ઉ.વ.-૫૨ ધંધો-હોટેલ (૨)શિલ્પાબેન વા.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૪૫  (૩)કીરણબેન ડો.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૨૬(૪)રણજીત સ.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૨૪(૫)કરણ સ.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૨૨ રહે-ગોકુલનગર રડારરોડ નવાનગરશેરી ન૫ મોબાઇલ  પાનવાળી શેરી પ્રફુલભાઇ સવાણીના મકાનમા જામનગર મો.નં-૬૩૫૬૩૮૦૮૭૬ વાળાઓ તા.૧૧/૦૩/૨૦૨૨ ક.૦૦/૦૦ પછીના કોઇ પણ સમયે  તા પોતાના ઘરેથી ન...

મુકેશ અંબાણીના પહેલા પૌત્ર પૃથ્વી અંબાણીએ શાળા જીવનનો પ્રથમ દિવસ મલાબાર હિલની સનફ્લાવર નર્સરી શાળામાં શરૂ કર્યો

Image
પૃથ્વી અંબાણી ભારતમાં જ શિક્ષણ મેળવવા જઈ રહ્યા છે, તેથી સમગ્ર અંબાણી પરિવારે સર્વસંમતિથી તેમને મલાબાર હિલની સનફ્લાવર નર્સરીમાં શિક્ષણ અપાવવાનો નિર્ણય કર્યો છે. આકાશ અને શ્લોકાએ આ જ નર્સરી સ્કૂલથી પોતાના અભ્યાસનો પ્રારંભ કર્યો હતો. સનફ્લાવર નર્સરી સ્કૂલમાં પૃથ્વીને મોકલવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે તેમને જીવનની વાસ્તવિકતાનો પરિચય મળે તેમજ સુરક્ષિત વાતાવરણમાં ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. શાળાના પ્રથમ દિવસે પૃથ્વીના માતા-પિતા આકાશ અને શ્લોકો તેમને શાળાના દરવાજા સુધી મુકવા માટે ગયા હતા. અંબાણી પરિવાર પૃથ્વીને ‘સામાન્ય’ જીવન જીવવા માટે સક્ષમ બનાવવા માટે છે, જે ખૂબ જ મુશ્કેલ જણાઈ રહ્યું છે કારણ કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો પૌત્ર રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય મીડિયાના કેન્દ્રમાં છે. અંબાણી પરિવારના ઘણાં ચાહકો તેમને ‘ભારતના રાજકુમાર’ તરીકે સંબોધન કરે છે.

જામનગરના જામવંથલી ગ્રામ પંચાયતના બે સભ્યો રૂ.3 લાખની લાંચ લેતા ઝડપાયા

Image
અર્જુનસિંહ જાડેજા અને નાથા ટોરીયાએ પાવર પ્લાન્ટના એનઓસી આપવા લાંચ માંગ્યાનું સામે આવ્યું : મોરબી એસીબીની ટીમે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રાંગડાના પાટીએ આવેલી હોટેલમાંથી બંનેની રંગેહાથ ઝડપી લીધા જામનગર : જામનગર તાલુકાના જામવંથલી ગ્રામ પંચાયતના બે સભ્યો રૂ. 3 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ચુક્યા છે.  મોરબી એસીબીની ટીમે છટકું ગોઠવી શિવશકિત હોટલ ધ્રાંગડા ગામના પાટીયા પાસે  જામનગર-રાજકોટ હાઈવે ધ્રોલ નજીકથી લાંચ લેતા અર્જુનસિંહ અને નાથા ટોરીયાને ઝડપી લીધા છે. લંચીયા સભ્યો દ્વારા ફરીયાદીની કોન્ટ્રાકટ કંપની જામવંથલી ગામે પાવર પ્લાન્ટ તૈયાર કરી આપવાનું કામ કરતી હોય તેના માટે ગ્રામ પંચાયતનું એન.ઓ.સી. આપવા માટે લાંચ માંગવામાં આવી હતી.   જેમાં જાણવા મળ્યા પ્રમાણે અર્જુનસિંહ રણવીરસિંહ જાડેજા, ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી), જામવંથલી ગ્રામ પંચાયત, તા.જી-જામનગર પોતાના તથા સરપંચ ઉપસરપંચના મળી અઢી લાખ તથા આ કામના નાથાભાઇ ગોવિંદભાઇ ટોરીયા, ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી), જામવંથલી ગ્રામ પંચાયત, તા.જી-જામનગરના 50 હજાર મળી કુલ ત્રણ લાખની લાંચની માંગણી કરતાં ફરીયાદી લાંચની રકમ આપવા મા...

નયારા એનર્જી દ્વારા વાડીનાર રિફાઇનરીમાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી "સલામતી સંસ્કૃતિના વિકાસ માટે યુવાનોને પ્રોત્સાહિત કરો"ના વિષય સાથે યોજાયેલી 9 સ્પર્ધાઓમાં 5178 સહભાગીઓ બન્યા

Image
જામનગર, તા. 7 માર્ચ, 2022: આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ વાડીનાર ખાતેની તેની રિફાઇનરીમાં 51માં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરી હતી. કર્મચારીઓ અને કામદારોમાં સુરક્ષા અંગે જાગૃતિ આવે એ માટે નેશનલ સેફટી કાઉન્સીલ દ્વારા અપાયેલા "સલામતી સંસ્કૃતિના વિકાસ માટે યુવાનોને પ્રોત્સાહિત કરો"ના વિષય સાથે 9 સ્પર્ધાઓમાં યોજવામાં આવી હતી જેમાં 5178 સહભાગીઓ બન્યા હતા. આ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.  દર વર્ષે 11મી ફેબ્રુઆરીથી 4થી માર્ચ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. નયારા એનર્જીના સુરક્ષા વિભાગ દ્વારા વાડીનાર રિફાઇનરીમાં કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો, કામદારો વગેરેમાં સુરક્ષા અંગે જાગૃતિ આવે અને સતર્કતા કેળવાય એ માટે વિવિધ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.  સુરક્ષા અંગેના જ્ઞાન મારફતે તકનીકી સાધનો સાથે સલામતી પૂર્વક કઈ રીતે કાર્ય કરી શકાય એ પ્રકારની માહિતીસભર સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેના વિષય "માત્ર એક મિનિટ - કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે જોખમની ઓળખ", સૂત્ર સ્પર્ધા, કવિતા સ્પર...

યુક્રેનમાં યુધ્ધ ફાટી નિકળ્યું એટલે સરકારને ખબર પડી કે, લાખો વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરવા માટે વિદેશ ગમન કરે છે!

Image
          વિધાર્થીઓ વિદેશથી MBBS કરીને આવ્યા બાદ ભારતમાં  પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો તેના માટે ભારતમાં  ખાસ પરિક્ષા આપવી જરૂરી છે. આ કસોટીમાં લાયકાત મેળવ્યા વિના પ્રેક્ટિસ લાયસન્સ મળતું નથી. આ માન્યતા પરિક્ષાને ભારતમાં 'ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશન' (FMGE) કહેવામાં આવે છે.            પરંતુ વિદેશથી આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ એફએમજીઇ ટેસ્ટમાં લાયકાત મેળવી શકતા નથી. સરેરાશ ૧૦ માંથી ૮ વિધાર્થીઓ પાસ નથી કરી શકતા. ભારતમાં પરિક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓએ ઇન્ટર્ન શીપ કરવી પડે છે, જેના માટે ૭.૫% બેઠકો અનામત રાખવામાં આવે છે.           FMGE પરીક્ષા આયોજિત કરનાર નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) અનુસાર, 2020માં વિદેશથી મેડિસિનનો અભ્યાસ કરીને આવેલા 35 હજાર 774 વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ આપી હતી, જેમાંથી માત્ર 5 હજાર 897 એટલે કે 16.48% જ તેમાં પાસ થઈ શક્યા હતા. . છેલ્લા 6 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો 1.26 લાખ વિદ્યાર્થીઓએ FMGE પરીક્ષા આપી છે, પરંતુ તેમાંથી માત્ર 21 હજાર એટલે કે 17% વિદ્યાર્થીઓ...

શ્રી પરિમલ નથવાણી, પ્રેસિડેન્ટ, GSFA 5મી માર્ચ 2022થી શરૂ થતી પ્રથમ ક્લબ ચેમ્પિયનશિપની જાહેરાત કરી રહ્યાં છે.

Image
 પ્રથમ રાજ્ય ક્લબ ચેમ્પિયનશિપ 5મી માર્ચથી શરૂ થાય છે વિજેતાઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે AIFF આઇ-લીગ ક્વોલિફાયર  03 કેટેગરીમાં 33 ટીમો: 106 હોમ અને દૂર  મેચ: 990 ફૂટબોલર 3 માર્ચ, 2022: શ્રી પરિમલ નથવાણી, ગુજરાતના પ્રમુખ  રાજ્ય ફૂટબોલ એસોસિએશન (GSFA), પ્રથમવાર GSFA ક્લબની જાહેરાત કરી  ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓ માટે ત્રણ કેટેગરીમાં ચેમ્પિયનશિપ. મેચો  ટુર્નામેન્ટની શરૂઆત 5મી માર્ચ 2022થી થશે; બે તબક્કામાં રમાશે  અને ત્રણ મહિના સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં ટીમોને વિભાજિત કરવામાં આવશે  જૂથો અને અન્ય ટીમો વચ્ચે બે વખત (હોમ અને અવે) રમશે  જૂથ, તમામ શ્રેણીઓમાં. મેચો સપ્તાહના અંતે (શનિવારે) રમાશે  અને રવિવાર). કુલ મળીને 11 શહેરોમાં લગભગ 106 હોમ અને અવે મેચો રમાશે  ગુજરાતના. તેઓ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત,  ભાવનગર, અંકલેશ્વર, વાપી, ગોધરા, દાંતીવાડા અને આણંદ.  તમામ 33 ટીમોમાં 990 ફૂટબોલરો સામેલ છેઃ 17 સિનિયર, 09 જુનિયર અને 07 સબજુનિયર કેટેગરીની ટીમો. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ભાવનગર ભાગ લે છે  તમામ 03 શ્ર...