Posts

Showing posts from November, 2022

વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨

Image
જિલ્લાના મતદાન મથકો પર લોકશાહીના મહાપર્વની ઉજવણી મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ --- જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા શરુ --- જામનગર તા.01, વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ દરમિયાન જામનગર જિલ્લામાં આજરોજ તા.૧ ડિસેમ્બરે મતદાન મથકો પર  લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો સહિત જિલ્લાના તમામ વર્ગના લોકોમાં વહેલી સવારથી જ મતદાન કરવા પોતાના નજીકના મતદાન મથકે કતાર બદ્ધ જોવા મળી રહ્યા છે.જામનગર જિલ્લામાં સવારે ૮ વાગ્યે મતદાન પ્રક્રિયા શરુ થતાંની સાથે જ તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરુ થઇ હતી.

જામજોધપુર લાલપુર તાલુકાના વિવિધ સમાજના આગેવાનો , કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા...

Image
આગામી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી હોય ,જ્યારે ગઈકાલે રાત્રે આહીર સમાજ , સગર સમાજ , દલિત સમાજ ,લઘુમતી સમાજ સહિત તમામ સમાજના ૭૦૦ થી વધુ આગેવાનો , કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા , તમામને કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા ,તમામનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે .લોકોનો અનેરો ઉત્સાહ જોઈ જીત નિશ્ચિત છે.

જામજોધપુરમાં ૭૦૦ થી વધુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેસરિયા કર્યા

Image
કોંગ્રેસના જિલ્લાના મહામંત્રી અને જામજોધપુર પટેલ સમાજના પ્રમુખ યુવા નેતા હિરેનભાઈ ખાંટ આજે તેમના સમર્થકો સાથે તેમજ જામજોધપુર નગરપાલિકાના કોર્પોરેટરોશ્રીઓ સાથે જામજોધપુર કોંગ્રેસની વિવિધ જવાબદારી સંભાળતા મુખ્ય હોદેદારો અને અસંખ્ય કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી ભાજપ ની વિચારધારા સાથે જોડાય આજે કેસરિયા ખેસ ધારણ કર્યા છે સાથે ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ તથા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડાયરેક્ટર ક્રિપાલસિંહ જાડેજા (અતુલસિંહ) તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા , જિલ્લાના યુવા ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ચીમનભાઈ સાપરિયાને જંગી બહુમતીથી વિજય અપાવવા આહવાન કરેલ 

જામજોધપુર તાલુકાના ત્રણ ગામોની મુલાકાત કરી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.

Image
જામજોધપુર તાલુકાના અમરાપર ગામે બેઠક યોજી લોકસંપર્ક કર્યો . આ પ્રસંગે જિલ્લા-તાલુકાના આગેવાનો , વડીલો, યુવાઓ અને ગ્રામજનો  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.  જામજોધપુર તાલુકાના પરડવા ગામે બેઠક યોજી લોકસંપર્ક કર્યો . આ પ્રસંગે જિલ્લા-તાલુકાના આગેવાનો , વડીલો, યુવાઓ અને ગ્રામજનો  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.  આજે વિજય સંકલ્પ સાથે જામજોધપુર તાલુકાના પાટણ ગામે નાગેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ બેઠક યોજી લોકસંપર્ક કર્યો . આ પ્રસંગે જિલ્લા-તાલુકાના આગેવાનો , વડીલો, યુવાઓ અને ગ્રામજનો  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી. 

પ્રચાર પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત આજે સાતમા દિવસે જામજોધપુરના અમરાપર ગામના લોકો સાથે બેઠક યોજી, આગામી વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર-લાલપુર વિધાનસભામાં વિકાસનું કમળ ખીલાવી અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા સૌને આહ્વાન કર્યું.

Image
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી 80-જામજોધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્વ મંત્રી ચીમન શાપરિયાએ સમગ્ર જામજોધપુર અને લાલપુર પંથકમાં કેસરિયો વંટોળ સર્જી દીધો છે. તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપાનો ચૂંટણી પ્રચાર છવાઈ ગયો છે. ઠેરઠેર સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ભાજપામાં જોડાઈ રહ્યા છે અને શ્રેણીબદ્ધ ગ્રૂપ મિટિંગ અને જનસભાઓ યોજવામાં આવી રહી છે જેમાં સેંકડો લોકો ઉપસ્થિત રહે છે.ભાજપના મળી રહેલ પ્રચંડ જનસમર્થનથી હરીફો ડઘાઈ ગયા છે.જામજોધપુર વિધાનસભા બેઠક પરનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાનો વિશાળ કાફલો રાતદિન જામજોધપુર અને લાલપુર તાલુકાના સંખ્યાબંધ ગામોની મુલાકાત લ્યે છે. સર્વત્ર ભાજપાની વિચારધારાને આવકાર મળી રહ્યો છે. વિશ્વાસનો આધાર છે વિકાસનો નિર્ધાર અને જામજોધપુર તથા લાલપુરમાં કમળ નિશ્ચિત છે-વગેરે સૂત્રો સાથે પ્રચાર કામગીરી આગળ વધી રહી છે. તેવામાં ગતરોજ જામજોધપુર તાલુકાના જામવાડી ગામનાં સરપંચ સહિતના કાર્યકરો કે જેઓ અત્યાર સુધી કોન્ગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હતાં તેઓ 60 જેટલાં આગેવાનો અને કાર્યકરોએ ભાજપાનો ખેસ ધારણ કરી લીધો છે અને ભાજપાનાં નેતૃત્વમાં ભરોસો વ્યક્ત કર્યો છે. ભાજ...

જામજોધપુર બેઠકમાં ચીમનભાઇ શાપરીયા વિન થશે કેમકે ચિત્ર જે પલટાયુ છે, ત્યારે ચીમનભાઇ તરફી પ્રચંડ લોકજુવાળ જોવા મળે છે

Image
વિધાનસભાની ચુંટણીને લઈને સમીકરણો દિવસે ને દિવસે બદલતા હોય છે, ક્યારેક કોઈ સીટ એક પક્ષ તરફ તો ક્યારેક બીજા પક્ષના ઉમેદવાર તરફ ઝુકાવ કરતી હોય છે.આવું જ જામનગર જીલ્લાની લાલપુર જામજોધપુર વિધાનસભા સીટ પર જોવા મળી રહ્યું છે. બે ત્રણ દિવસ પૂર્વે આ બેઠકનું ચિત્ર જરા જુદું હતું પરંતુ શનિવારે થયેલો ચુંટણીપ્રચાર અને સમાજના આગેવાનો સાથે અને અન્ય રાજકીય પક્ષોના આગેવાનો સાથેની ગુપ્ત બેઠક આ સીટ ભાજપના ઉમેદવારને જીત તરફ દોરી જનાર સાબિત થશે તેવા સમીકરણો હોવાનું સુમાહિતગાર સુત્રો પાસેથી જાણવા મળે છે. ગુજરાત વિધાનસભા ચુંટણીમા ચોમેરથી કમળખીલે તે માટે ભાજપ રાત દિવસ એક કરે છે ત્યારે માત્ર અનુભવી જ નહી કોઠાસુઝ ધરાવતા જામજોધપુર લાલપુર બેઠકના ભાજપના ઉમેદવાર ચીમનભાઇ શાપરીયા તરફી વાતાવરણ છેલ્લા બે દિવસ દરમિયાન બન્યું હોય તેમ તાજો  સર્વે જણાવે છે જે મુજબ હાલની સ્થિતિએ જામજોધપુર બેઠક ભાજપને મળશે તેમ જણાવી રાજકીય વિશ્લેષકોએ ઉમેર્યુ છે કે ગુજરાત મોડલથી લોકો તો આકર્ષાયા જ છે સાથે સાથે 80-જામજોધપુર બેઠક જેમા લાલપુર અને જામજોધપુર બે તાલુકા આવે છે તેના ભાજપના ઉમેદવાર પુર્વ કેબીનેટ મીનીસ્ટર ચીમનભાઇ શાપરીયા નીવડેલા ...

નયારા એનર્જીએ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે રજની કેસરીની નિમણૂક કરી

Image
આંતરરાષ્ટ્રીય સ્તરે ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની  નયારા  એનર્જીએ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે સુશ્રી રની કેસરીની નિમણૂકની જાહેરાત કરી હતી. તેઓ 2 જાન્યુઆરી, 2023ના રોજ કે એ અગાઉ ચાર્જ સંભાળશે. ઉદ્યોગ, ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ તમામ ક્ષેત્રોમાં વ્યવસાયિક જોડાણ, ફાઇનાન્સ કન્ટ્રોલરશિપ, એકાઉન્ટિંગ, કરવેરા અને ઓડિટમાં પોતાના બહોળા અનુભવ સાથે તેઓ કંપનીની ફાઇનાન્શિયલ કામગીરી સંભાળશે. આ નિમણૂક પર  નયારા  એનર્જીના સીઇઓ ડો. એલોઇસ વિરાગે કહ્યું હતું કે, “આ વ્યવસાય અને વૃદ્ધિની દ્રષ્ટિએ  નયારા  એનર્જી માટે નોંધપાત્ર વર્ષ બની રહ્યું છે. સુશ્રી રજની કેસરી નાણાકીય કુશળતા, લીડરશિપ અને વ્યૂહાત્મક વિચારક્ષમતામાં અસરકારક અનુભવ અને ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જે અમારા ફાઇનાન્શિયલ એજન્ડાને આગળ વધારવામાં મદદરૂપ થશે અને અમારી વૃદ્ધિની સફરના આગામી તબક્કામાં લાભદાયક પુરવાર થશે.” સુશ્રી કેસરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટ છે. તેઓ અમેરિકાની અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સમાંથી સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ પણ છે. તેઓ ભારત અને વિદેશી બજારો એમ બંનેમાં વ્યવસાયિક અસ...

જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે.

Image
આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને છે. હાલ ત્રણે પાર્ટીઓએ પોતાના ઉમેદવારો અહીંથી જાહેર કર્યા છે પરંતુ કેટલાક પક્ષની નારા કાર્યકરો અપક્ષ અને અન્ય પાર્ટીમાંથી પણ અહીંથી ચૂંટણી લડશે પરંતુ મુખ્ય ત્રણ પક્ષ વચ્ચે જંગ જમવાનો છે. જામનગર જિલ્લાની 76 કાલાવડ અનામત બેઠક ઉપરથી ભાજપે મેઘજી ચાવડાની મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય પ્રવીણ મુસળીયા ને રીપીટ કર્યા છે આ ઉપરાંત આપે જીગ્નેશ સોલંકી ની ટિકિટ આપી છે. જામનગર 77 ગ્રામ્ય બેઠક ઉપરથી ભાજપ એ વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલને રીપીટ કરી ટિકિટ આપી છે. તો કોંગ્રેસે જિલ્લા પ્રમુખ જીવણ કુંભારવાડીયા ને ટિકિટ અંતે આપી છે. આપે આ બેઠક ઉપર પ્રકાશ દોંગા ની ટિકિટ આપી છે. જામનગર 78 ઉત્તર વિધાનસભા બેઠક ઉપર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા ને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા ને ટિકિટ આપી છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી એ કરશન કરમુરને અહીંથી મેદાને ઉતાર્યા છે. જામનગર 79 દક્ષિણ વિધાનસભામાં ભાજપે ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચુંટાતા દિવ્યેશ અકબરીને ટિકિટ આપી છે.તો કોંગ્રેસે ...

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સંમેલન યોજાયું

Image
 જામનગર જિલ્લાના સાંસદ- પૂર્વ ધારાસભ્યો-શહેર પ્રમુખ-મેયર તેમજ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા  ઉપસ્થિત રહયા પૂર્વ મુખ્યમંત્રી સહિત મંચસ્થ તમામ મહાનુભાવો દ્વારા બન્ને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે હાકલ કરાઈ  જામનગર તા ૧૪, જામનગર ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તાર તેમજ ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારમાટે ના મધસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સંમેલન ઓસવાળ સેન્ટરમાં યોજાયું હતું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર શહેરના પૂર્વધારાસભ્યો અને પૂર્વ મંત્રીશ્રીઓ આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), વસુબેન ત્રિવેદી, પરમાનંદભાઈ ખટ્ટર, ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં ૭૮- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજા, તેમજ ૭૯- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીને શુભેચ્છા સંદેશો પાઠવી, જંગી લીડથી વિજેતા બનાવવા માટે કાર્યકર્તામાં જોશ ભર્યો હતો.  ભારતીય જનતા પાર્ટી ના ૭૮- ઉત્તર અને ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યનું ઉદઘાટન સંમેલન આજે સવારે ...

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

Image
મતદાન માટે મતદાર ફોટો, ઓળખપત્ર ઉપરાંત અન્ય બાર દસ્તાવેજોનો ઉપયોગ કરી શકાશે. જામનગર તા.05, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ તરફથી નક્કી કર્યા મુજબ, વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે તા.૧-૧૦-૨૦૨૨ની લાયકાતની તારીખની મતદારયાદી ધ્યાને લેવાની રહેશે. આ ચૂંટણીઓમાં મતદાન માટે ઈ.વી.એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નો તેમજ તમામ મતદાન મથકે વી.વી.પી.એ.ટી. (વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેઇલ)નો ઉપયોગ કરવામાં આવશે.  આ ઉપરાંત મતદાન અર્થે મતદાન મથકે આવનારા તમામ મતદારોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) અથવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા નીચેના ૧૨ પૈકીના કોઈપણ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાશે. ૧. આધારકાર્ડ, ૨. મનરેગા જોબકાર્ડ, ૩.બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, ૪. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, ૫. ડ્રાઇવિંગ લાયસન્સ, ૬.પાનકાર્ડ, ૭. એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, ૮. ભારતીય પાસપોર્ટ, ૯. ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ ૧૦. ...