પ્રચાર પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત આજે સાતમા દિવસે જામજોધપુરના અમરાપર ગામના લોકો સાથે બેઠક યોજી, આગામી વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર-લાલપુર વિધાનસભામાં વિકાસનું કમળ ખીલાવી અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા સૌને આહ્વાન કર્યું.
વિશ્વાસનો આધાર છે વિકાસનો નિર્ધાર અને જામજોધપુર તથા લાલપુરમાં કમળ નિશ્ચિત છે-વગેરે સૂત્રો સાથે પ્રચાર કામગીરી આગળ વધી રહી છે. તેવામાં ગતરોજ જામજોધપુર તાલુકાના જામવાડી ગામનાં સરપંચ સહિતના કાર્યકરો કે જેઓ અત્યાર સુધી કોન્ગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હતાં તેઓ 60 જેટલાં આગેવાનો અને કાર્યકરોએ ભાજપાનો ખેસ ધારણ કરી લીધો છે અને ભાજપાનાં નેતૃત્વમાં ભરોસો વ્યક્ત કર્યો છે. ભાજપામાં જોડાયેલા આ લોકોમાં સરપંચ ઉપરાંત પૂર્વ સરપંચ, પંચાયતનાં પૂર્વ સદસ્યો અને ગ્રામજનોનો સમાવેશ થાય છે, જે તમામને ભાજપાનો ખેસ ધારણ કરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતાં.સરપંચ જામવાડી, વિમલભાઈ, ઈશ્વરભાઈ, સહિતના આગેવાનો સ્થાનિકો પણ હાજર રહ્યા હતા.
આ પ્રચાર પ્રવાસ દરમિયાન જામવાડી ખાતે જનસભા યોજવામાં આવી હતી. જેમાં જામજોધપુર-લાલપુર વિધાનસભા વિસ્તારમાં કમળ ખીલવવા તથા ગુજરાતનાં વિકાસમાં સૌને સહભાગી બનવા આહવાન કરવામાં આવ્યું હતું. અને જાણે ચીમનભાઈની વિજયીસભા હોય તેવો માહોલ બની જવા પામ્યો હતો, આ તકે જિલ્લા ભાજપાનાં હોદેદારો, અગ્રણીઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં અને સૌએ ભાજપાને જિતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Comments
Post a Comment