Posts

Showing posts from February, 2022

છોટી કાશી બન્યું શિવમઈ : શિવાલયોમાં ભાવિકોની ભીડ

Image
મહાશિવરાત્રી નિમિત્તે છોટી કાશી ગણાતા જામનગરમાં વહેલી સવારથી જ શિવાલયોમાં ભાવિકોની ભીડ જામી છે. જામનગરમાં રાજાશાહી વખતથી અનેક શિવાલયો આવેલા છે જેને લઇને જામનગરને લોકો છોટી કાશી તરીકે ઓળખે છે. જામનગર શહેરની મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, હજારેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી છે. મહા શિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં જળાભિષેક, રુદ્રાભિષેક અને પૂજન અર્ચન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કાશી વિશ્વનાથ ની જેમ છોટી કાશી ગણાતા જામનગર માં આવેલ ચારે દિશા માં પ્રવેશ દ્વાર ધરાવતા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પણ સવારથી જ ભાવિકોની કતારો જોવા મળી હતી.

પિન્ક ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ‘શિવ શક્તિ અને સાધના’ ના ભવ્ય ઉત્સવ નું આયોજન

Image
પંચોતેર દંપતીઓ દ્વારા પ્રથમ પ્રહરની(સાંજે 4 થી 9) નિઃશુલ્ક પૂજા, સોમનાથ મંદિરના શિખરની ધ્વજાજીના દર્શન મહાપ્રસાદ તથા બિહારીદાન ગઢવી અને સંગીતા બેન લાબડીયા નો સંતવાણીનો કાર્યક્રમ  જામનગરના પિન્ક ફાઉન્ડેશન પરિવાર તથા તેના પ્રણેતા શેતલબેન શેઠ દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિતતે ‘શિવ આરાધના’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આગામી તા. ૧લી માર્ચ ર૦રર ના મંગળવારે મહાશિવરાત્રિ પર્વના દિવસે જામનગર મધ્યે ધન્વન્તરિ ગ્રાઉન્ડમાં ‘શિવ આરાધના " શિર્ષક હેઠળ અનેક વિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સાંજે ૪ વાગ્યે સમૂહ સત્સંગ, સાંજે ૬ વાગ્યે શિવપૂજા, રાત્રે ૮ વાગ્યે મહાનુભાવોના પ્રવચન, રાત્રે ૯ વાગ્યે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર બિહારીદાન હેમુદાન ગઢવી અને સંગીતા બેન લાબડીયા દ્વારા  સંતવાણીનો કાર્યક્રમ તથા મહાપ્રસાદ યોજાશે. સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરના શિખર પર ચડાવાયેલી ધ્વજાજીની પધરામણી કરાવી તેના દર્શન યોજાશે. આ ઉપરાંત મહાશિવરાત્રિ પર્વમાં જેનું માહત્મ્ય છે તેવા ચાર પ્રહરની  પૂજા પૈકી પ્રથમ પ્ર...

જામનગર જિલ્લામાં આગામી ૨૭ ફેબ્રુઆરીના રોજ મેગા પલ્સ પોલીયો રસીકરણ અભિયાન

Image
 જિલ્લાના ૦ થી ૫ વર્ષની ઉંમરના ૯૭,૨૪૩ બાળકોને પોલીયો રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવાશે એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા ૬૩૫ બુથ, ૧૯૧ મોબાઈલ ટીમ તથા ૧૦ ટ્રાન્ઝીસ્ટ ટીમનું આયોજન કરાયુ જેમાં ૨૫૬૬ કર્મચારીઓ ફરજ બજાવશે પોતાના ૫ વર્ષ સુધીના બાળકોને અચૂક પોલિયોના ટીપાં પિવડાવી પોલીયો નાબુદી અભિયાનમાં સહકાર આપવા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરાયો જામનગર તા.23, સમગ્ર ભારત દેશમાંથી પોલીયોના રોગને નાબુદ કરવાનાં સરકારના અભિગમને સાર્થક કરવાના ભાગ રૂપે ચાલુ વર્ષે મેગા પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો રાઉન્ડ તા.૨૭ ફેબ્રુઆરી રવિવારના રોજ સમગ્ર ગુજરાત રાજયની સાથે જામનગર જિલ્લામાં પણ હાથ ધરવામાં આવનાર છે. જામનગર વહિવટી તંત્ર દ્વારા આ અભિયાનમાં જામનગર જિલ્લામાં ૦ થી ૫ વર્ષનાં ૯૭,૨૪૩ બાળકોને આવરી લેવાનો ધ્યેય નક્કી કરવામાં આવેલ છે. સમગ્ર જિલ્લામાં પોલીયોની રસીથી એક પણ બાળક વંચિત ન રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ ૬૩૫ બુથ, ૧૯૧ મોબાઈલ ટીમ તથા ૧૦ ટ્રાન્ઝીસ્ટ ટીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આરોગ્ય વિભ...

વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા રાજ્ય સરકારનો નિર્ધાર : કૃષિ, પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

Image
પશુપાલન વ્યવસાયથી માહિતીસભર ‘‘ગોદર્શન ગાઇડ’’ વિશેષાંકનું તથા ‘‘ગોદર્શન ગાઇડ’’ વેબસાઈટનું લોન્ચિંગ કરતા મંત્રીશ્રી શ્રેષ્ઠ લેખકોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે પશુઓના પોષણ, સંવર્ધન, આરોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે આજે પશુપાલકો પશુપાલનને શ્રેષ્ઠ વ્યવસાય તરીકે પસંદ કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ગોંડલના ગો દર્શન ટ્રસ્ટ તથા રાજ્યના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ ‘‘ગોદર્શન ગાઇડ’’ વિશેષાંકનું વિમોચન કરતાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું કે ‘‘ગોદર્શન ગાઇડ’’ નું માસિક છેલ્લા 35 વર્ષથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેના દ્વારા ખેડૂતોને દૂધનું ઉત્પાદન વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબો તથા ખેતી પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ, ગૌશાળાઓ, પાંજરાપોળોને અનુલક્ષીને તાંત્રિક વ્યવહારુ અને ઉપયોગી લેખો સરળ ભાષામાં તૈયાર કરાયા છે જે પશુપાલકો માટે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડશે. મંત્રી...

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર જિલ્લા (ગ્રામ્ય) દ્વારા મીડિયા સંવાદ બેઠક યોજાઈ

Image
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની સૂચનાથી ગુજરાત પ્રદેશ મિડિયા વિભાગ ના કન્વિનિયર શ્રી યજ્ઞેશભાઇ દવે અને યમલભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના પ્રમુખ શ્રી  વિમલભાઈ કગથરા તથા જામનગર જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરાની આગેવાનીમાં   મીડિયા હોદેદારો,  મીડિયા વિભાગ માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તા, સૌરાષ્ટ્ર.ઝોન કન્વીનર, પ્રભારી સહીત શહેર જિલ્લા અધ્યક્ષ સાથે પત્રકારો, પ્રેસ પ્રતિનિધિઓએ ખુલ્લા મનથી ચર્ચા કરેલ.  પ્રદેશ મીડિયા પ્રવક્તા ડો. ઋત્વિજભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ઝોન મીડિયા વિભાગ કન્વીનર સુરેશભાઈ માંગુકિયા, જામનગર - દેવભૂમિ દ્વારકા મીડિયા કન્વીનર સુરેશ પરમાર, જામનગર જિલ્લા (ગ્રામ્ય) મીડિયા વિભાગ કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર, જામનગર મહાનગર કન્વીનર ભાર્ગવ ઠાકર, જિલ્લા મીડિયા વિભાગના સહકન્વીનર બાવનજીભાઇ સંઘાણી , શહેર મીડિયા વિભાગના દીપાબેન સોની, વિજયસિંહ જાડેજા દ્વારા જામનગરના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આશરે ૬૦ થી વધુ પ્રેસ મીડિયા પ્રતિનિધિઓ સમક્ષ મુક્ત ચર્ચા કરેલ. જામનગર શહેર જિલ્લાની વિવિ...

લતા મંગેશકર દ્વારા બોલાયેલા છેલ્લા શબ્દો..

Image
આ દુનિયામાં મૃત્યુથી વધુ વાસ્તવિક કંઈ નથી.!     વિશ્વની સૌથી મોંઘી બ્રાન્ડેડ કાર મારા ગેરેજમાં પાર્ક છે.  પણ મને વ્હીલચેરમાં લઈ જવામાં આવ્યા છે.!   મોંઘા કપડાં મોંઘા પગરખાં મોંઘા વસ્તુઓ દુનિયામાં દરેક પ્રકારની ડિઝાઇન અને રંગો.    પણ હું હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ નાના_ગાઉનમાં છું.!   મારા બેંક ખાતામાં ઘણા પૈસા છે પણ મારા માટે કંઈ કામનું નથી.!!   મારું ઘર મહેલ જેવું છે  પણ હું હોસ્પિટલના નાના પથારીમાં સૂઈ રહી છું.   હું દુનિયાની ફાઈવ સ્ટાર હોટેલોમાં ફરતિ રહી છુ.પરંતુ મને હોસ્પિટલની લેબમાં અન્ય લેબમાં ટ્રાન્સફર કરવામાં આવે છે!   જે દિવસે 7 હેર સ્ટાઈલિસ્ટ મારી સાથે રોજ હેર સ્ટાઈલ કરતી હતી. પણ આજે મારા માથાના વાળ નથી.   વિશ્વભરની ઘણી ઊંચી સ્ટાર હોટેલોમાં ભોજન લીધું.  પરંતુ આજે દિવસમાં બે ગોળી અને રાત્રે એક ટીપું મીઠું.  !   પ્રાઇવેટ જેટ પર વિશ્વભરમાં ઉડ્ડયન કરેલું  પરંતુ આજે બે_લોકો હોસ્પિટલના વરંડામાં આવવામાં મદદ કરે છે.  ?   *બધી સવલતો  હતી છતા...

ફૂટપાથ બનાવતાં શરમ આવે છે

Image
જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1.25 કરોડના જંગી ખર્ચે નવો રોડ બની રહ્યો છે. કરૂણતાએ છે કે, ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર રાહદારીઓ માટે ચાલવાની ફુટપાથ જ રાખવામાં આવી નથી!  હવે રાહદારીઓ વાહનો અને પશુઓ વચ્ચેથી અથડાતાં કુટાતા ચાલશે  આ વિસ્તારમાં મહાનગરપાલિકાના કમિશ્નર રહે છે અને મેયરનો જ વોર્ડ છે. લાંબા સમયથી હું જોતો આવ્યો છું કે, આ શહેરમાં રાહદારીઓ માટે ચાલવાની ફુટપાથો જ નથી બનાવવામાં આવતી! જે મોટું આશ્ચર્ય છે.  સારી ફૂટપાથ હોય તો નાગરિકો ટુંકા અંતર માટે વાહન વાપરવાનું ટાળે અને પરિણામે ટ્રાફિક અને પ્રદુષણ ઘટે!  થોડા સમય પહેલાં સરૂ સેક્સન રોડથી ડી.કે.વી. સર્કલ સુધી પણ કરોડોના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો, પરંતુ ત્યાં પણ ફૂટપાથ ન બનાવી  શહેરના સાંસદ અને ધારાસભ્ય, કોર્પોરેટરો, મહાનગરપાલિકાના કમિશ્નર, ઈજનેરો શા માટે આટલા નિષ્ક્રિય રહે છે તે સમજાતું નથી પ્રજાના પૈસા છે, પ્રજા માટે જ વાપરવાના છે.  શહેરના બ્યુટીફીકેશન માટે પણ આ સુવિધા જરૂરી છે.

જામનગરમાં અદ્યતન અને દમદાર ફીચર્સ ધરાવતી સ્કોડા કારનું સ્લાવીયા મોડેલ લોન્ચ

Image
જામનગરના લકઝરી કારના શોખીનો માટે  સ્કોડા  કારનું હાઇટેક સ્લેવીયા મોડેલ લોન્ચ થઇ ગયું છે, જામનગર શહેરમાં રાજકોટ હાઇવે પર શ્રીનાથજી  સ્કોડા  શો-રુમમાં આ નવું મોડેલ શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું. આ હાઇટેક મોડેલના લોન્ચીંગ સમયે ઉપસ્થિત સૌ પત્રકારો સમક્ષ શ્રીનાથજી સ્કોડા ના ડીરેક્ટર મયુર પીપલવા, પ્રીયાંશી પાબારી તથા અદિલ પીપલવા તેમજ જામનગર શો-રુમના જનરલ મેનેજર કનુ ભાદરકા વગેરે દ્વારા આ મોડેલ અંગે માહિતી આપવામાં આવી હતી. સ્લેવીયા મોડેલ 1000 સીસી અને 1500 સીસી એમ બે વેરીયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે, મોડેલની કિંમત રૂા. 12 લાખથી શરુ થાય છે, બંને એન્જીનના મોડેલમાં અલગ અલગ ત્રણ ત્રણ વેરીયન્ટ છે, સેફટીની દ્રષ્ટીએ આ નવું મોડેલ અન્ય કાર કરતાં એડવાન્સ સીસ્ટમ ધરાવે છે, કારને બધી બાજુથી કવર્ડ કરી લે એ પ્રકારે છ એરબેગ આાપવામાં આવી છે, આ ઉપરાંત કારની બોડી હેવી ગેઝ ધરાવે છે, સેક્શન ક્ધટ્રોલ અને વાયરલેસ ચાર્જીંગ સહિતની સૂવિધાઓ ઉપરાંત આ કાર શહેરમાં 17 થી 18 કી.મી.ની એવરેજ આપે છે, અને કંપની ચાર વર્ષની ગેરેન્ટી આપે છે, જેમાં ચાર વર્ષ સુધીના સર્વિસ પેકેજનો સમાવેશ થાય છે. સ્કોડા સ્લેવીયાન...

જામનગરના દરેડ પાસે બાઈકચાલક આધેડને લૂંટી લેનાર સહકર્મી સહિત ત્રણની ધરપકડ

Image
  એલસીબીની ટીમે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી રોકડ અને મોબાઈલ તથા ગુનામાં વાપરેલું બાઈક કર્યું કબજે જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર દરેડ પાસે પરમદિવસે રાત્રે લૂંટની વધુ એક ઘટના બનતાં ભારે દોડધામ થઈ હતી. એક વૃદ્ધ કારખાનામાંથી છૂટીને ઘેર આવી રહેલા બાઈક ચાલકને 3 અજાણ્યા શખ્સોએ અકસ્માત સર્જી પછાડી દઇ ઢોર માર માર્યો હતો અને રૂપિયા 14 હજારની રોકડ અને મોબાઈલ ફોન સહિતની સામગ્રી લુંટીને ભાગી છૂટયા હતા. જે ફરિયાદના બનાવ પછી પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં એલસીબી સ્ટાફના હરદીપભાઈ ધાંધલ, શિવભદ્રસિંહ જાડેજા અને ફિરોજભાઈ ખફીને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારોથી ચોક્કસ બાતમી મળી હતી જેથી તેઓએ ગણતરીના કલાકોમાં જ ત્રણ શખ્સોને સકંજામાં લીધા હતા. જે પૈકી એક ભોગ બનનાર વૃદ્ધનો સહકર્મી હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બલાર્ક નામના કારખાનામાં કામ કરતા કિરીટભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા (ઉ.વ.62) નામના વૃદ્ધ ગત મંગળવાર રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં કારખાનેથી છુટીને પોતાના બાઈક ઉપર ઘર તરફ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન ખંભાળિયા બાયપ...

મેગા ડીમોલીશન, સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરબ્રીજ માટે નડતરરૂપ ભાગો દુર કરવાની કાર્યવાહી રેલ્વેની 25971 ચોરસમીટર જગ્યા ઉપરાંત આસપાસની જે મિલકતો આવેલ છે.

Image
 જામનગર શહેરના સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રીજ આકાર લઇ રહ્યું છે અને તેનું કામ પુરપાટ ઝડપે મનપાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાનીની દેખરેખ હેઠળ તેની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, સ્વાભાવીક આટલું મોટું કામ હોય ત્યારે આસપાસના નડતરરૂપ દબાણો દુર કરવા પડે...તેના માટે આજે મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો જે મળી જતા ગુરુદ્વારાથી માંડીને જુના રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ આસપાસ આવેલ 31 મિલકતોનો નડતર રૂપ ભાગ દુર કરવાની કાર્યવાહી આજે સવારથી શરુ કરી દેવાઈ છે.આજે શરુ થયેલ ડીમોલીશનમાં જુના રેલ્વે સ્ટેશન નજીક રેલ્વેની 25971 ચોરસમીટર જગ્યા ઉપરાંત આસપાસની જે મિલકતો આવેલ છે તેવી 27 જેટલી મિલકતોનો જરૂરી ભાગ ડીમોલીશન કરવાની કાર્યવાહી આજે સવારે મનપા દ્વારા શરુ કરવામાં આવી છે, જેમાં જામનગર મનપા પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની, એસ્ટેટના રાજભા ચાવડા, રેલ્વે પોલીસ, અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ સાથે રાખી આ ડીમોલીશન આગળ વધારવામાં આવી રહ્યું છે.

ખીજડીયા પક્ષી અભ્યારણ્ય એટલે પક્ષીઓની ૩૧૪ પ્રજાતિઓનું ઘર, જેમાંની ૨૯ પ્રજાતિઓ અતિ દુર્લભ કક્ષાની

Image
રામસર સાઈટ ઘોષિત થતા અભયારણ્યની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગશે મંગોલિયા, પાકિસ્તાન, સર્બિયા, ઈરાન, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, સાઇબેરિયા વગેરે દેશોના ૧૭૦ પ્રજાતિના યાયાવર પક્ષીઓ દર વર્ષે બને છે ખીજડીયાના મહેમાન   ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ ૧૯૮૪માં આ અભયારણ્યની મુલાકાત લઇ એક જ દિવસમાં ૧૦૪ જાતના પક્ષીઓને ઓળખી કાઢ્યા હતા કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) સહિતના દુર્લભ પ્રજાતિના પક્ષીઓ ખીજડીયા ખાતે સરળતાથી જોવા મળે છે ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે. ગુજરાત સરકાર...

જામનગરમાં રહેણાંક મકાનમાં ધમધમતો શેરબજારનો ગેરકાયદે ડબ્બો ઝડપાયો

Image
એલસીબીની ટીમે બાતમીના આધારે દિગ્વિજય પ્લોટના રહેણાંક મકાનમાં પાડ્યો'તો દરોડો : ટીવી, બે લેપટોપ અને રોકડ રૂા.33 હજાર સાથે ત્રણ શખસોની ધરપકડ, એક મહિલા સહિત છ ફરાર જામનગર શહેરમાં છેલ્લા 8 વર્ષથી ગેરકાયદેસર રીતે ધમધમતો અને દરરોજ લાખો રૂપિયાનું ટ્રેડિંગ કરી પૈસાની હારજીત શેરબજારના સટ્ટા પર કરી રહેલા 3 શખસોને ગુરૂવારે એલસીબીએ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી પકડી પાડી આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સટ્ટામાં પ્રાથમિક રીતે પોલીસે 1 મહિલા સહિત 6 શખસોને ફરાર જાહેર કર્યા છે. પોલીસે લેપટોપ સહિતની સામગ્રી અને રોકડ કબજે કરી છે. મળતી માહિતી મુજબ, જામનગર શહેરના 55 દિગ્વિજય પ્લોટમાં આવેલા નરેન્દ્ર નિવાસ નામના મકાનમાં વર્ષ 2014થી પોલીસની જાણકારી મુજબ શેરબજારનો ગેરકાયદેસર ડબ્બો ચાલતો હતો જેમાં લોકો ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત માર્ગે શેરોનું લે-વેચના નામે સટ્ટો રમી દરરોજનું લાખો રૂપિયાનું ટર્નઓવર આમાં થતું હતું. એલસીબીના યશપાલસિંહ જાડેજા અને હરદીપસિંહ ધાધલને મળેલી બાતમીના આધારે પોલીસ શેરબજારના આ ડબ્બા પર ત્રાટકી હતી અને ત્યાં ટ્રેડિંગ કરી રહેલા નરેન્દ્ર વૃજલાલ સુમરીયા, બ્રિજેશ કિ...

ગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપંખનો ઉમેરો

Image
જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ જામનગર તા. ૦૨ ફેબ્રુઆરી,  ગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપંખનો ઉમેરો થયો છે. જામનગર જિલ્લાના સુવિખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્યને વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિતે  રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ ભારતના બે અભયારણ્ય ગુજરાતના જામનગર જીલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્ય અને ઉતરપ્રદેશના બખીરા અભયારણ્યને રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે.  આ સાથે જ હવે દેશમાં રામસર સાઈટની સંખ્યા કુલ ૪૯ થઇ છે.  વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ ૧૯૬૦ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઇ હતી અને વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર શહેર ખાતે નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. જેને રામસર સંધી તરીકે ઓળખવામાં આવી છે. પક્ષીઓના રક્ષણ માટે આ ચર્ચાઓના આધારે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.૧૯૭૧માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો....

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ કોલેજની વિધાર્થીની ખુશી દેસાઈએ સૌથી વધારે ૮ સુવર્ણ પદક મેળવ્યા

Image
 એમ.બી.બી.એસ.ના અભ્યાસક્રમમાં સૌથી વધારે માર્કસ સર્જરી અને મેડીસીન વિષયમાં હાંસલ કર્યા રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો.  સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલા પદવીદાન સમારોહમાં સૂવર્ણપદક મેળવનાર ૧૪  વિદ્યાશાખાના કુલ ૧૦૭ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલમાં અભ્યાસ કરતી જામનગરની એમ. પી.શાહ ગવર્મેન્ટ કોલેજની યશસ્વી વિધાર્થીની ખુશી દેસાઈએ સૌથી વધારે કુલ ૮ સુવર્ણ પદક મેળવ્યા હતા. તેણે એમ.બી.બી.એસ.ના અભ્યાસમાં તમામ વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જે પૈકી તેમણે મહત્તમ માર્કસ સર્જરી અને મેડીસીન વિષયમાં મેળવ્યા છે. હાલમાં તેઓએ પોતાનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને જામનગર ખાતે જી.જી.હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહ્યા છે. તેમની ઈન્ટર્નશીપ કોરોનાની પ્રથમ લહેરથી શરૂ થઈ હતી જેમાં તેઓએ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું. ૮ પદક મેળવવા માટેની સફરમાં અને સર્વાધિક ગુણ મેળવવામાં માતા પિતા, શિક્ષકો, પરિવારજનોએ  સહયોગ અને પ્રેરણા પૂરી પાડીને સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. તે બધાની હું ખુબ ઋ...