Posts

Showing posts from December, 2021

જામનગરના રાઘવ ચાંદ્રાએ મલ્ટિપલડ્રમ બીટ માં વર્લ્ડ રેકોર્ડ કર્યો___ ત્રણ ત્રણ વર્લ્ડ એવોર્ડ થી સન્માનિત કરાયો

Image
  જામનગર: જામનગરના રાઘવ અલ્પેશ ચાંદ્રાએ ૩૦ મિનિટમાં ૩૦ થી વધુ પ્રકારના ડ્રમ બીટ મલ્ટીપલ રીતે વગાડવાના હતા જે ટાર્ગેટ તેણે ફક્ત ૨૮ મિનિટ અને 9 સેકન્ડમાં વર્લ્ડ રેકોર્ડ ટીમની નિગરાની હેઠળ પૂરો કરી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.  જામનગરના ઓટો ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા અતુલ ગ્રુપના  બિઝનેસ મેન અલ્પેશ ભરતભાઈ ચાંદ્રા અને આર્ટસ પેન્ટિંગ અને હિલિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા એવા હેતલબેન ના પુત્ર રાઘવ પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને મ્યુઝિક પ્રત્યેનો લગાવ હતો જે વાત તેના માતા પિતા પારખી  ગયેલા અને તે વાતને ધ્યાનમાં રાખી તેના મ્યુઝિક શોખને ભવિષ્યમાં એક ગોલ બની રહે તેવા આશય થી  મ્યુઝિક ક્લાસ ચલાવતા ટીચર નિશા બથીયા ની દેખરેખ હેઠળ ટ્રેનિંગ શરૂ કરાવેલ હતી પરિણામ સ્વરૂપ ૨૭ નવેમ્બર ના રોજ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ટીમની નિગરાની હેઠળ ૩૦ મિનિટ ના ટાર્ગેટ ને મલ્ટી ડ્રમ બીટ વગાડી ફક્ત ૨૮ મિનિટ  ૯ સેકન્ડમાં પૂરું કરી લેતા તેને નવો યંગેસ્ટ ડ્રમર  તરીકે વર્લ્ડ રેકોર્ડ સર્જીયો. રાઘવએ મુલાકાતમાં જણાવ્યું હતું કે સંગીતની પ્રેરણા અને પ્રોત્સાહન તેના માતા-પિતા ને પરિવાર દ્...

ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહમાં સાંસદ શ્રી સી.આર.પાટીલ તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ

Image
  જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી ત્યારે ક્ષત્રિય સમાજે પોતાનું બલિદાન આપીને પણ દેશની રક્ષા કરી - સાંસદ શ્રી સી.આર.પાટીલ  ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે - ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી જામનગર તા.31 ડિસેમ્બર, ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના અંતિમ દિવસે સાંસદ શ્રી સી.આર.પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ છેલ્લા ત્રણ માસમાં સરકાર અને પોલીસ તંત્રએ નક્કર કામગીરી કરી આ બદીને સમાજમાંથી દૂર કરવાની કામગીરી અભિયાનના રૂપે હાથ ધરી છે. ગુજરાતની અસ્મિતાને નુકસાન પહોંચાડનારા દરેકને સાથે મળીને જવાબ આપવા ગૃહમંત્રીએ આ તકે આહવાન કર્યું હતું અને ભવિષ્યમાં સૌરાષ્ટ્રનું ખમીર જળવાય તે રીતે સૌ સાથે મળીને કામ કરીશું તો સમાજ, સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજ્યનો વિકાસ થશે તેમ ઉમેર્યું હતું. ભ...

કોંગ્રેસ ના 137માં સ્થપના દિવસની કરી ઉજવણી .

Image
  કોંગ્રેસ ના 137 ના સ્થપના દિવસ નું ઉજવણી ભાગ રૂપે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સૂચના મુજબ આજે 4 દિવસે ખભળીયા નાકા બહાર ત્રિભુવન સ્કૂલ ના વિદ્યાર્થીઓને જામનગર શહેર કોંગ્રેસ તરફથી સ્ટેશનરી નું વિતરણ કરવામાં આવ્યું.   તેમાં કોર્પોરેટરો સર્વેશ્રી - જેનબબેન ખફી, ધવલભાઈ નંદા, રચનાબેન  નંદાણીયા તેમજ  દિગુભા જાડેજા,  સહારાબેન મકવાણા, ભરતભાઈ ભાનુશાળી વગેરે લોકો હાજર રહ્યાં હતા. (Darshan Kanakhara) Mo. 9313236388 / 99786793923

જામનગરમાં વ્યાજખોરોની દાદાગીરી : યુવાનને માર માર્યો

Image
જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલી પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં પંકજ વિનોદ મુંગરા નામના યુવાને મયુરસિંહ જાડેજા ચાર વર્ષ અગાઉ રૂા.3,50,000 પાંચ ટકા વ્યાજે લીધા હતાં અને તેનું વ્યાજ પણ સમયસર ભરતો હતો અને આજ દિવસ સુધીમાં 4,00,000 જેટલી રકમ ચુકવી દીધી હતી તેમ છતાં મયુરસિંહ અને શકિતસિંહ જાડેજા નામના બે શખ્સોએ પંકજને બુધવારે રાત્રીના સમયે એસટી રોડ પર આવેલી ફાયનાન્સની ઓફિસે બોલાવ્યો હતો અને બંન્ને શખ્સોએ સાડા સાત લાખ બરજબરી પૂર્વક માંગતા યુવાને પૈસા આપવાની ના પાડી હતી. જેથી બંન્ને શખ્સોએ પંકજ ઉપર લાકડાના ધોકા વડે હુકલો કરી મારી નાખવાની ધમકી આપી યુવાનનો રૂા.15,000 ની કિંમતના મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી. ત્યારબાદ યુવાને આ અંગેની જાણ કરતાં પીઆઇ મહાવીરસિંહ જે.જલુ તથા સ્ટાફે પંકજના નિવેદનના આધારે બંન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ( રિપોર્ટર -  સુનીલ ગોરી દ્વારા)   (Darshan Kanakhara) Mo. 99786793952 / 9313236388

જામનગર એલ.સી.બી. પોલીસએ તામાચણગામે થી થર્ટી ફસ્ટ અન્વયે મંગાવવામાં આવેલ ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમને પકડી પડીયો.

Image
જામનગર તાલુકાના તામાચણગામે થી થર્ટી ફસ્ટ અન્વયે મંગાવવામાં આવેલ ઈંગ્લીશ દારૂ બોટલ નંગ. ૩૯૬ કિ.રૂ. ૧,૫૮,૪૦૦/- તથા બીયર ટીન  નંગ.૬૮  કિ.રૂ. ૬૮,૦૦૦/- તથા મોબાઈલ ફોન, વાહન  મળી કુલ રૂ. ૬,૭૫,૨૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને પકડી પડતી જામનગર - એલ.સી.બી. પોલીસ. (Repoter - Darshan Kanakhara) Mo. 99786793952 / 9313236388

ધ્રોલ ટાઉન તથા જામનગર શહેર માંથી થર્ટી ફસ્ટ અન્વયે મંગાવવામાં આવેલ ઇગ્લીશ દારૂની બોટલો અને મુદામાલ સાથે પાચ ઇસમોને પકડી પાડતી જામનગર - એલ.સી.બી.પોલીસ.

Image
 ધ્રોલ ટાઉન તથા જામનગર શહેર માંથી થર્ટી ફસ્ટ અન્વયે મંગાવવામાં આવેલ ઇગ્લીશ દારૂ  તથા મોબાઈલ ફોન, વાહનો મળી ના મુદામાલ સાથે પાચ ઇસમોને પકડી પાડતી જામનગર - એલ.સી.બી.પોલીસ. ( Repoter - Darshan Kanakhar ) Mo. 9978679392/9313236388

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૩૭૦ લાભાર્થીઓને રૂપિયા ૧.૬૬ કરોડની સહાય ચૂકવાઇ

Image
 જામનગર તા.૨૯ ડિસેમ્બર, રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન શ્રી અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ, વિકસતી જાતિ કલ્યાણ કચેરી તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના ૩૭૦ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા ૧.૬૬ કરોડની સહાય સ્થળ પર D.B.T. મારફત ચૂકવવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલ મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે સરકાર અનુસૂચિત જાતિ, જન જાતિ તેમજ સમાજના નીચલા વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે આજે કરોડો રૂપિયાની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવી રહી છે. ડો. બાબા સાહેબ આંબેડકર સાચા સમાજસુધારક અને ભારતના ભાગ્યવિધાતા હતા જેમને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની સાથે જોડાયેલા પાંચ સ્થળોનો તીર્થધામ તરીકે વિકાસ કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ તકે મેયરશ્રીએ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લામાં હાથ ધરવામાં આવેલ લ...

રમેશભાઈ કનખરાના જન્મદિને નિમિતે...

Image
  સર્વધર્મ સોશ્યલ ગ્રુપના પ્રમુખ રમેશભાઈ નરોતમભાઈ કનખરાનો જન્મ તા.૨૯-૧૨-૧૯૫૩ ના રોજ જામનગર મુકામે થયેલ તેઓને આજે ૬૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ ૧૯૯૦ થી સર્વધર્મ સોશ્યલ ગ્રુપનું પ્રમુખપદે રહી સામાજીક સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે. હાલારી ભાનુશાળી જ્ઞાતિમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. તેઓ અનેક નામી અનામી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાય તેનું જીવન સેવાકાર્યો કાજે અર્પણ કરેલ છે જે આજે તેમના જન્મદિનને અનુલક્ષીને તેઓના મો. 7990919083

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની 8 કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ હજુ વધુ મિલકતો ટાંચમાં લેવાઈ તેવી શક્યતાઓ

Image
  જામનગર શહેર અને જીલ્લામાં એક ક્રાઈમ સીન્ડીકેટ ચલાવતા જયેશ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, તો બીજી તરફ જયેશ પટેલ હાલ યુકે જેલમાં છે, જયારે તેના સાગરીતો રાજ્યની અલગ અલગ જેલમાં છે તો અમુક ફરાર છે, ત્યારે જામનગર પોલીસ વિભાગ દ્વારા પુરાવાઓ એકત્ર કરીને જયેશ પટેલ દ્વારા ખંડણી તરીકે લેવામાં આવેલ પ્લોટો સહિતની મિલકતનું એક લીસ્ટ તૈયાર કરી તેને ટાંચમાં લેવા માટે ગૃહ વિભાગ પાસે મંજુરી માગવામાં આવી હતી તે મંજુરી આવી જતા જામનગર શહેરમાં આવેલ યશોદા નગર વગેરે વિસ્તારમાં જયેશ પટેલ અને તેના સાગરીતોને નામે કરેલ 8 કરોડની અલગ અલગ મિલકત ટાંચમાં લેવાઈ હોવાનું નિવેદન એએસપી નીતેશ પાંડેએ આપ્યું છે અને તેવોએ વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં વધુ મિલકતો પણ ટાંચમાં લેવા માટેની કાર્યવાહી પૂર્ણતાને આરે છે. (  Repoter - Darshan Kanakhara ) Mo. 9978679392 / 9313236388

ભારતીય સૈન્યએ 50મા નાગી દિવસની ઉજવણી કરી

Image
  નાગી ખાતે થયેલા યુદ્ધની 50મી વાર્ષિક તિથિની ઉજવણીના ઉપલક્ષ્યમાં 27 ડિસેમ્બર 2021ના રોજ સાધુવાલી ખાતે આવેલા સુદર્શન ચક્ર ડિવિઝન દ્વારા યોજવામાં આવેલી મોહક સાંસ્કૃતિક અને સંગીત સંધ્યા દરમિયાન શ્રી ગંગાનગરનો સંપૂર્ણ માહોલ જાણે કે ગૌરવ અને દેશભક્તિની ભાવનાથી તરબોળ થઇ ગયો હતો. સાધુવાલી કેન્ટોનમેન્ટ ખાતે યુદ્ધના સેવા નિવૃત્ત જવાનો , વીર નારીઓ , સેવા આપી રહેલા કર્મીઓ , નાગરિક મહાનુભાવો , મીડિયા કર્મીઓ અને સૈન્યના કર્મીઓના પરિવારજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી મંત્રમુગ્ધ અને મર્મભેદક સંધ્યા ' એ ટ્વીલાઇટ વિથ બ્રેવ હાર્ટ્સ ' સાથે જ નાગી દિવસ 2021 સંબંધિત તમામ કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. પ્રેક્ષકો માટે આ કાર્યક્રમ ઘણો મનોરંજક હતો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેનારા ' સોન-એટ-લુમિઅર ' લેસર લાઇટ શોના પ્રદર્શન સાથે તેનો પ્રારંભ થયો હતો. આ શો એક મલ્ટીમીડિયા પ્રદર્શન હતું જેમાં નાગીમાં થયેલા યુદ્ધને દર્શાવતી ઑડિયો-વિઝ્યુઅલ પ્રસ્તૂતિ આપવામાં આવી હતી. તેજસ્વી પ્રકાશ અને સાઉન્ડ ઇફેક્ટ્સ સાથેના આ અદભૂત શોએ આદરપૂર્ણ અને પ્રભાવી સભાને મંત્રમુગ્ધ કરી દીધી હતી. સૈન્યના કૌશલ્યવાન જવાનો અ...

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત જામનગર ખાતે રાજ્યકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું

Image
 ૧૩ મોબાઈલ પશુ વાન તેમજ કૃષિ પરિવહનના અન્ય ૪૫૮ વાહનોને  કૃષિ મંત્રીશ્રી દ્વારા લીલીઝંડી આપી લોકાર્પિત કરાયા ૧૩ મોબાઈલ પશુ વાન તેમજ કૃષિ પરિવહનના અન્ય ૪૫૮ વાહનોને કૃષિ મંત્રીશ્રી દ્વારા લીલીઝંડી આપી લોકાર્પિત કરાયા કૃષિ, પશુપાલન, બાગાયત વિભાગના બે હજારથી વધુ લાભાર્થીઓને અપાયા વિવિધ યોજના હેઠળના મંજૂરીપત્રો તેમજ સહાય ખેડૂતોની આવક વધે અને ખેડૂત સમૃદ્ધ બને તે માટે સરકારે અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મૂકી- કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૂચન કરતા કૃષિ મંત્રીશ્રી જામનગર તા.૨૮ ડિસેમ્બર, રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્નશ્રી અટલબિહારી વાજપાઇના જન્મદિન નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કૃષિ, પશુપાલન, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તેમજ સાધનસામગ્રી સાથે સહાય વિતરણ કાર્યક્રમનું કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શહેરના ઓશવાળ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં અધ્યક્ષ પદેથી કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ દેશ કૃષિ અન...

બેટ દ્વારકામાં સુન્ની વકફ બોર્ડ કોઇ જમીન પર માલિકીનો દાવો કેવી રીતે કરી શકે?

Image
 કૃષ્ણ ભક્તો, વૈષ્ણવોમાં આક્રોશ, નારાજગીદ્વારકા,  બેટ દ્વારકા પર શ્રીકૃષ્ણ સિવાય  અન્ય કોઇ માલિક ન હોઇ શકે! 28 ડિસેમ્બર, 2021: તાજેતરમાં એક અખબારી સોશ્યલ મીડિયાના અહેવાલે દ્વારકા, બેટ દ્વારકા અને ઓખા મંડળ સહિત સમગ્ર દેશના કૃષ્ણ ભક્તો, વૈષ્ણવો અને હિન્દુ સમાજમાં જબર્દસ્ત નારાજગી અને આક્રોશ જન્માવ્યાં છે. આ અહેવાલ મુજબ સુન્ની વકફ બોર્ડ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર તીર્થ ધામ બેટ દ્વારકાના બે ટાપુઓની માલિકીનો દાવો કરતી એક લેખિત અરજી ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.આ મીડિયાના અહેવાલ મુજબ જસ્ટિસ સંગીતા વિશેનની કોર્ટમાં તેની સુનાવણી થઇ હતી.  જો કે નામદાર હાઇકર્ટે આ અરજી સાંભળતાં જ તેને નામંજૂર ઘોષિત કરી વકફ સમિતિને વળતો પ્રશ્ન કર્યો કેઃ “તમને ભાન છે તમે શું કહી રહ્યા છો? કૃષ્ણનગરીમાં વકફ બોર્ડ જમીનની માલિકીનો દાવો જ કેવી રીતે કરી શકે?” આમ કહીને કોર્ટે અરજી વધુ સાંભળવાની જ ના કહી દીધી હતી; અને અરજી વાંચી ફરીથી નવી અરજી વેકેશન કોર્ટમાં સુપ્રત કરવા કહ્યું હતું. આ અહેવાલ વાયરલ થતા ચિંતા, નારાજગી અને આક્રોશનું મોજું ફરી વળ્યું હતું.  આ અંગે દ્વારકા દેવસ્થાન...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના પાણીપત સમાન ભૂચર મોરીની શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પી

Image
 મહાન વીરો - યોદ્ધાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે, શરણે આવેલાની રક્ષા કરવી તે  ક્ષાત્ર ધર્મ છે, વીર યોદ્ધાઓના શૌર્યથી દેશની રક્ષા થાય છે અને એટલે જ દેશમાં સુસાશન, શાંતિ અને વિકાસ સંભવ બને છે જામનગર જિલ્લાના ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શોર્ય કથામાં સહભાગી થતાં  મુખ્યમંત્રીશ્રી  મુખ્યમંત્રીશ્રીએ  શહિદ સ્મારકનો જીર્ણોદ્ધાર કરી નવી પેઢીમાં ઉજાગર કરવા તત્પરતા દાખવી  ડો.જયેન્દ્રસિહ જાડેજા લિખિત' આશરા ધર્મનો અજોડ ઇતિહાસ' પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી જામનગર તા.27 ડિસેમ્બર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથામાં સહભાગી થઈ શહીદોને વિરાંજલી આપતાં જણાવ્યું હતું કે મહાન વીરો - યોદ્ધાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે. દેશ અને સ્વધર્મ માટે પોતાના જીવનની પરવા કર્યા વગર બલિદાનો આપનારા ગુજરાતના વીર સપૂતોની યશગાથા ગાવાની આ ધન્ય ...