જામનગરમાં વ્યાજખોરોની દાદાગીરી : યુવાનને માર માર્યો

જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલી પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં પંકજ વિનોદ મુંગરા નામના યુવાને મયુરસિંહ જાડેજા ચાર વર્ષ અગાઉ રૂા.3,50,000 પાંચ ટકા વ્યાજે લીધા હતાં અને તેનું વ્યાજ પણ સમયસર ભરતો હતો અને આજ દિવસ સુધીમાં 4,00,000 જેટલી રકમ ચુકવી દીધી હતી તેમ છતાં મયુરસિંહ અને શકિતસિંહ જાડેજા નામના બે શખ્સોએ પંકજને બુધવારે રાત્રીના સમયે એસટી રોડ પર આવેલી ફાયનાન્સની ઓફિસે બોલાવ્યો હતો અને બંન્ને શખ્સોએ સાડા સાત લાખ બરજબરી પૂર્વક માંગતા યુવાને પૈસા આપવાની ના પાડી હતી.

જેથી બંન્ને શખ્સોએ પંકજ ઉપર લાકડાના ધોકા વડે હુકલો કરી મારી નાખવાની ધમકી આપી યુવાનનો રૂા.15,000 ની કિંમતના મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી. ત્યારબાદ યુવાને આ અંગેની જાણ કરતાં પીઆઇ મહાવીરસિંહ જે.જલુ તથા સ્ટાફે પંકજના નિવેદનના આધારે બંન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. (રિપોર્ટર - સુનીલ ગોરી દ્વારા) 


(Darshan Kanakhara)
Mo. 99786793952 / 9313236388





Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.