Posts

Showing posts from August, 2026

યુપીઆઈ વપરાશકર્તાઓ માટે કોઈ ચાર્જ નહીં

વેપારીઓ માટે પણ મોટાભાગના વ્યવહારો વિના મૂલ્યે રહેશે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ (PSS Act)માં સુધારો એ નાણાકીય સમાવેશને વધુ પ્રોત્સાહન આપવા, યુપીઆઈની લાંબા ગાળાની ટકાઉપણું, તકનીકી પ્રગતિ અને ઉભરતા જોખમો સામે સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા માટેની એક સક્ષમ જોગવાઈ છે ભારત સરકાર સ્પષ્ટપણે જણાવવા માંગે છે: વપરાશકર્તાઓ માટે કોઈ ચાર્જ નહીં: ચુકવણી કરતા ગ્રાહકોએ કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં. P2P વ્યવહારો મફત: તમામ વ્યક્તિ-થી-વ્યક્તિ (Person-to-Person) વ્યવહારો વિના મૂલ્યે ચાલુ રહેશે. વેપારીઓ માટે નજીવો એમડીઆર (MDR): જ્યારે પણ એમડીઆર ચાર્જ રજૂ કરવામાં આવશે, ત્યારે તે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ એમડીઆર કરતાં ખૂબ જ ઓછા દરે, અમુક નિશ્ચિત મર્યાદા (threshold) થી ઉપરના માત્ર મર્યાદિત સમૂહના વેપારી વ્યવહારો પર જ લાગુ થશે. યુપીઆઈ પર વેપારીઓ માટે મોટાભાગના વ્યવહારો વિના મૂલ્યે રહેશે. એમડીઆર, જો રજૂ કરવામાં આવે તો, માત્ર મર્યાદા-આધારિત રહેશે અને સાર્વત્રિક રીતે તમામ પર લાદવામાં આવશે નહીં. એકવાર સંસદ દ્વારા ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026 પસાર થઈ જાય, જે પેમેન્ટ એન્ડ સેટલમેન્...