નયારા એનર્જીને સામાજિક જવાબદારી અને સામુદાયિક કાર્યો બદલ એવોર્ડ્સ


ફિક્કીનો ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવોર્ડ’ અને ગ્લોબલ સસ્ટેનિબિલિટી લીડરશીપનો ‘સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ એવોર્ડ’

મુંબઇ, 22 ડિસેમ્બર, 2022: આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીને ફિક્કી સીએસઆર સમિટની 20મી આવૃત્તિમાં ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એપ્રિસિએશન પ્લેક’ અને ગ્લોબલ સસ્ટેનિબિલિટી લીડરશીપ એવોર્ડ્સની 9મી આવૃત્તિમાં ‘સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠીત એવોર્ડ્સ સર્વસમાવેશી વૃધ્ધિ તથા સસ્ટેનેબલ લાઇવલિહુડ અને એન્વાયર્નમેન્ટ સસ્ટેનિબિલિટી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને હેલ્થ સેનિટેશનનાં ક્ષેત્રોમાં અસરકારક ભૂમિકા ભજવવાની નયારા એનર્જીની ઊંડી પ્રતિબધ્ધતાની કદર કરે છે. 

12 ડિસેમ્બર, 2022નાં રોજ ફિક્કી દ્વારા આયોજિત સીએસઆર સમિટમાં આદિવાસી બાબતો અંગેનાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ નયારા એનર્જીને તેનાં ફ્લેગશિપ પ્રોજેક્ટ ‘તુષ્ટિ’ માટે પ્રશંસાની તક્તી અર્પણ કરી હતી. આ પ્રોજેક્ટ દેવભૂમિ દ્વારકામાં પોષણના માપદંડોમાં સુધારો કરવાની અને આ વિસ્તારને ‘કુપોષણથી મુક્ત’નો દરજ્જો અપાવવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ હેઠળનાં સર્વગ્રાહી અભિગમમાં વિવિધ પહેલ અને યોજનાઓને આવરી લેવામાં આવી છે, જેમાં બાળ કુપોષણ અને સારવાર કેન્દ્ર, ઘરે ઘરે જઇને મુલાકાત, હેલ્થ કિઓસ્ક અને શિક્ષણ, કુપોષણ અને અપૂર્ણ પોષણની  સમસ્યાને મૂળમાંથી ડામવા,  પુખ્ત છોકરીઓ, સગર્ભા મહિલા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે જાગૃતિ અને સ્વચ્છતાનાં સેશનનો સમાવેશ થાય છે. 2019માં લોંચ થયો ત્યારથી આ પ્રોજેક્ટે ઓછાં વજનવાળાં બાળકોમાં કુપોષણમાં 70 ટકા સુધીનો અને અત્યંત ઓછા વજન બાળકોમાં કુપોષણમાં 52 ટકા સુધીનો ઘટાડો કરવામાં મદદ કરી છે.

13 ડિસેમ્બર, 2022નાં રોજ યોજાયેલી ગ્લોબલ સસ્ટેનિબિલિટી લીડરશીપ એવોર્ડ્સની 9મી આવૃત્તિમાં પણ નયારા એનર્જીને તેનાં ગ્રામ સમૃધ્ધિ કાર્યક્રમ હેઠળ સાતત્યપૂર્ણ જળ સંચાલનમાં નોંધપાત્ર પ્રયત્નો બદલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં જામનગરનાં 15 ગામડાંમાં જળ સંસાધન સંચાલન, પૂરતી જળ પ્રાપ્તિ, સ્વચ્છતા, કૃષિ પ્રણાલિ અને સાતત્યપૂર્ણ જીવનશૈલીની વાસ્તવિક સ્થિતિ સુધારવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વધારાનો જળ સંગ્રહ કરીને 17.38 મિલિયન ક્યુબિક મીટર્સ ભૂગર્ભ જળ રિચાર્જ કરવા ઉપરાંત લાભાર્થીઓને રૂ.18 કરોડની આવક પણ પૂરી પાડવામાં આવી છે.

નયારા એનર્જી લિમિટેડના સીઇઓ ડો. અલોઇસ વિરાગે જણાવ્યું હતું કે, “અમને અત્યંત આનંદ છે કે આટલાં પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં અમારા સીએસઆર પ્રયત્નોની કદર કરવામાં આવી છે. આ એવોર્ડ્સ સામાજિક કલ્યાણ, સામુદાયિક વિકાસ અને સાતત્યતા પ્રત્યેની નયારા એનર્જીની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. અમે જ્યાં કામ કરીએ છીએ તે વિસ્તારનાં સ્થાનિક સમુદાયનાં ઉત્થાન માટે અમે પ્રતિબધ્ધ છીએ.” 

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.