Posts

Showing posts from January, 2022

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાઇરેક્ટર પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ.

Image
પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાઇરેક્ટર (કોર્પોરેટ અફેર્સ ) છે અને YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. જૂન 2020માં આંધ્ર પ્રદેશમાંથી રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટાતા પહેલા તેઓ સતત બે ટર્મ (2008થી 2020 સુધી) ઝારખંડમાંથી રાજ્ય સભાના અપક્ષ સાંસદ રહી ચુક્યા છે. શ્રી નથવાણી RILના ચેરમેન અને MD મુકેશ અંબાણીની કોર ટીમના મહત્વના સભ્ય તરીકે જાણીતા છે. રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને તેઓ પોતાના ગુરુ અને આદર્શ માને છે. ગુજરાતમાં જામનગર ખાતે વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી કોમ્પલેક્સ ઊભું કરવામાં તેમણે મહત્વની ભૂમિકા અદા કરી હતી. સરળતાથી જમીન સંપાદન કરવા ઉપરાંત શ્રી નથવાણીએ RILના પેટ્રોલિયમ રિટેલ આઉટલેટ્સ, રિટેલ સાહસો, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઇપલાઇન અને ભારતના પશ્ચિમી રાજ્યોમાં જિયો મોબાઇલ નેટવર્ક ઊભું કરવા માટેની માળખાગત સુવિધાઓ તૈયાર કરવાના પ્રોજેક્ટના અમલીકરણનું સુકાન સંભાળ્યું હતું. યૌવનકાળથી જ જાહેર જીવન પ્રત્યે તેમને લગાવ રહ્યો છે. તેઓ સૌરાષ્ટ્રના સાંસદો-લોકપ્રતિનિધિઓ સાથે ગાઢ રીતે જોડાયેલા રહેતા અને એક સમયે તો તેમણે ...

ગ્લોબલ રાની શિપ પર જામનગર DRIના દરોડા, પ્રતિબંધિત ઇરાનથી આવતા 3800 ટન ડામર અને શિપ જપ્ત કરાયાં

Image
ઇરાનમાંથી કાર્ગોની આયાત પર પ્રતિબંધ હોવાથી ઇરાક દર્શાવી ડામરનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હતો, જોકે જામનગર ડીઆરાઆઈને આ અંગે બાતમી મળતાં તેણે પીપાવાવ પોર્ટ પર દરોડો પાડ્યો હતો જેમાં 3800 ટન ડામરનો જથ્થો જેની કિંમત રૂ 10 કરોડ જેટલી થવા જાય છે તે જપ્ત કર્યો હતો ઇરાનમાંથી કાર્ગોની આયાત પર પ્રતિબંધ હોવાથી ઇરાક દર્શાવી ડામરનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હતો, જોકે જામનગર ડીઆરાઆઈને આ અંગે બાતમી મળતાં તેણે પીપાવાવ પોર્ટ પર દરોડો પાડ્યો હતો જેમાં 3800 ટન ડામરનો જથ્થો જેની કિંમત રૂ 10 કરોડ જેટલી થવા જાય છે તે જપ્ત કર્યો હતો દેશમાં ઇરાન (Iran) માંથી કાર્ગોની આયાત પર પ્રતિબંધ હોવાથી ઇરાનને બદલે ઇરાક (Iraq) દર્શાવી ડામરનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જોકે જામનગર (Jamnagar) ડીઆરાઆઈને આ અંગે બાતમી મળતાં તેણે પીપાવાવ પોર્ટ પર દરોડો પાડ્યો હતો, જેમાં 3800 ટન ડામરનો જથ્થો જેની કિંમત રૂ 10 કરોડ જેટલી થવા જાય છે તે જપ્ત કર્યો હતો જોકે અત્યાર સુધી ડામર મગાવનાર પેઢીના માલિકની ધરપકડ કરવામાં આવી નથી. આ ડામર જામનગરની કોઈ પેઢીએ મંગાવ્યો હોવાનું અને રાજકીય ઈશારે ધરપકડ ટળી હોવાનો પણ ગણગણાટ ચાલી રહ્યો છે. આયાત...

જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસતાક પર્વની જામનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

Image
 પંચાયત રાજયમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ ત્રિરંગાને વંદન કરી સલામી ઝીલી હથીયારી પોલીસ, અશ્વ દળ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ,  તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ PMJAY- માં યોજના તથા કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં શ્રેષ્ઠ કમગીરી કરનાર કર્મીઓને સન્માનિત કરાયા જામનગર તા. ૨૬ જાન્યુઆરી, જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૩મા પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજયના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રધ્‍વજને સલામી અર્પણ કર્યા બાદ મંત્રીશ્રીએ જામનગર પોલીસદળ, હોમગાર્ડ, અશ્વ દળ, વગેરેના જવાનોની માર્ચપાસ્‍ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ PMJAY- માં યોજના સાથે જોડાયેલા કર્મીઓ, વન વિભાગના જવાનો તથા કરૂણા અભિયાન હેઠળ લાખોટા નેચર ક્લબને જિલ્લામાં શ્રેષ્ઠ કમગીરી બદલ સન્માનિત કર્યા હતા.  આ પ્રસંગે મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે રાષ્ટ્રગીતના સમુહગાન દરમ્યાન ત્રિરંગો ધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી ત્યારબાદ ...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "રાષ્ટ્રીય બાલિકા દિવસ"ની ઉજવણી કરવામાં આવી

Image
 જામનગર તા.૨૫ જાન્યુઆરી, સમગ્ર દેશમાં "રાષ્ટ્રીય બાલિકા દિવસ"ની ઉજવણી કરવામાં આવેલ છે. ત્યારે જામનગર ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના કાલાવડ અને લાલપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં જન્મેલી દીકરીઓને "દીકરી વધામણાં કીટ"નું વિતરણ કરવામાં આવ્યું હતું અને વ્હાલી દીકરી યોજનાના અરજી પત્રકો આપવામાં આવ્યા હતાં. ઉપરાંત બાળ વિકાસ યોજના અધિકારી કાલાવડની કચેરી ખાતે "વ્હાલી દીકરી યોજના"નાં લાભાર્થીઓને હુકમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.  જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. કચેરી જિલ્લા પંચાયત જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર તાલુકાના નારણપર ગામે "બેટી બચાઓ બેટી પઢાઓ" ની થીમ પર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન, આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ, પૂર્ણા શક્તિના પેકેટના ઉપયોગ અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ વિ...

નવા નોંધાયેલા યુવા મતદારો તેના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી દેશના જવાબદાર નાગરિકો બને...કોમોડોર ગૌતમ મારવાહા

Image
જામનગર ખાતે ૧૨મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ જામનગર તા. ૨૫ જાન્યુઆરી, જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં કોમોડોર શ્રી ગૌતમ મારવાહા, કમાન્ડીંગ ઓફીસરશ્રી, આઈ.એન.એસ. વાલસુરાની અધ્યક્ષતામાં ૧રમા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રેરક પ્રવચન કરતા કોમોડોર ગૌતમ મારવાહાએ જણાવ્યુ કે, ભારતની લોકશાહીને વિશ્વની સૌથી મોટી અને સૌથી સફળ લોકશાહી છે અને તેના માટે જવાબદાર તમામ પરિબળોમાં સૌથી વધુ શ્રેય આપણા ભારતીય ચૂંટણી પંચને જાય છે. તેમજ નવા નોંધાયેલા યુવા મતદારો અપિલ કરી કે તેઓ તેમને મળેલા મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી દેશના જવાબદાર નાગરિકો બને. તેમજ ઇલેક્શનની કામગીરીમાં સહભાગી થનાર દરેક કર્મચારીને અભિનંદન પાઠવ્યા હતા.  આ તકે કલેકટરશ્રી ડો.સૌરભ પારધીએ ભારતીય ચૂંટણી પંચની કામગીરી તથા આજના આધુનિક યુગમાં અલગ અલગ ચૂંટણી પ્રક્રિયા માટે બનાવવામાં આવેલ વિવિધ એપ્લિકેશન્સની માહિતી આપી. જણાવ્યું હતું કે, ગત ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨માં કુલ ૭૭,૦૦૦ ફોર્મસ મળેલા હતા જે પૈકી ઓફલાઈન કરતા ઓનલાઈન માધ્યમોથી વધુ ફોર્મસ મળ્યા હતા, જેમાં nvsp.in, voter...

જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ નજીક ઘેટાં બકરા ચરાવતા ભરવાડ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાઈયો.

Image
 જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ નજીક ઘેટાં બકરા ચરાવતા ભરવાડ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઘેટા ચોરી કરી જતા આરોપીઓ સાથે વૃદ્ધે બાથ ભીડતા આરોપીઓએ ચોતરફથી હુમલો કરી ઢીમ ઢાળી 12 ઘેટાં ચોરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધની હત્યા નિપજાવી નાસી ગયેલ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. મોરબીના શખ્સોએ ઘેટાં માટે લૂંટ ચલાવી પાટણ જિલ્લામાં નાસી ગયા હતા. જેને લઈને પોલીસે હારીજ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓને પકડી પાડ્યા હતા. જામનગર તાલુકાના સામતપીર ગામમાં રહેતાં ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયા (ઉ.વ.70) નામના વૃદ્ધ શુક્રવારે સાંજના સમયે હાપા માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં તેના ઘેટા-બકરા ચરાવતા હતાં તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃધ્ધ સ્થળ પર ઢળી પડયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સ્થળ પર પહોંચી ...

કોરોના કાળમાં ગુજરાતીઓએ ૨૮ ટન સોનું વેચી માર્યું જરૂરિયાતો પૂરી કરવા.

Image
 

ઘેટા બકરા ચરાવવા નીકળેલ વૃધની હત્યા

Image
  જામનગર શહેરના હાપા નજીક આવેલ સીમમાં ધેટા બકરા ચરાવતા માલધારી શખસ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ધેટા- બકરા લઇ નાશી જતા ચકચાર બનાવ હત્યામાં ૫લટાતા પોલીસ કાફલો ઘટનાસ્થળ દોડી ગયો..સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેર નજીક હાપા ગામ પાસે આવેલ સામતપીર ગામના રહેવાસી ખેતાભાઈ હઠાભાઇ ચાવડીયા હાપા સીમમાં ધેટા-બકરા ચરાવતા હોય, તેવામાં ધેટા-બકરાની લુંટના ઇરાદે આવેલ અજાણ્યા શખ્સોએ આડેધ પર હુમલો કરી દેતા લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર મળે તે પહેલાં જ આડેધે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.

બીચ સૉકરઃ દરિયા કિનારે ફૂટબોલઃ ગુજરાત ફૂટબોલનું ભાવિ સોપાન - પરિમલ નથવાણી

Image
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની ટીમનો ઉત્સાહ કોવિડ મહામારીએ પણ મંદ કર્યો નથી. જો કે એસોસિયેશન તેની પ્રત્યેક પ્રવૃત્તિઓ વખતે કોવિડ સંબંધી સરકારી દિશા નિર્દેશો અને માર્ગદર્શિકાનું પાલન કરે છે તે અલગ બાબત છે. આ બધા વચ્ચે જે ઉત્સાહ પ્રેરક બાબત છે તે એ કે જી.એસ.એફ.એ. હેઠળનાં બે જિલ્લા એસોસિયેશનનો આ કપરા સમયમાં પણ બીચ સૉકર ટુર્નામેન્ટ યોજવા અત્યંત આતુર છે. સુરત જિલ્લા ફૂટબોલ એસોસિયેશન અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ફૂટબોલ એસોસિયેશન આ માટે લીલી ઝંડીની રાહ જૂએ છે. દરમ્યાનમાં, ગુજરાતના 16 ફૂટબોલ કોચ દ્વારા તાજેતરમાં ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને (એ.આઇ.એફ.એફ.) યોજેલા ઑન લાઇન બીચ સૉકર કાર્યક્રમમાં તાલીમ પણ લઇ લીધી છે. બીચ સૉકર ટુર્નામેન્ટ યોજાય તે પહેલાં એક રેફરીઓ માટેનો તાલીમ વર્ગ ગોઠવવાની પણ યોજના છે. જી.એસ.એફ.એ. બીચ સૉકરમાં ગ્રાસ રૂટ માટે પણ પહેલ કરવા ધારે છે. ગુજરાતમાં બીચ સૉકરની વિપુલ તકો છે. કારણ કે તેની પાસે 1600 કિ.મી.નો વિશાળ દરિયા કાંઠો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો શિવરાજપુર બીચ આજકાલ તેના પ્રવાસનના મહત્વને લીધે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બીચ સૉકરને લીધે તેનું પ્રવાસન અને ર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનસેવાની પરિશ્રમ યાત્રાના - સુશાસનના પ્રથમ ૧૨૧ દિવસ પૂર્ણ

Image
 શ્રી ભૂપેન્દ્ર પટેલના નિડર- નક્કર - નિર્ણાયક નેતૃત્વ અને સરળ – સહજ - સૌમ્ય સ્વભાવથી ટીમ ગુજરાતે ૧૨૧ દિવસમાં ગુજરાતના ચોતરફા વિકાસની આગવી કેડી કંડારી જનસેવા - લોકહિત કામો માટે પ્રબળ સંકલ્પ- અડગ આત્મવિશ્વાસ અને અખૂટ જુસ્સાથી વિકાસયાત્રા સતત આગળ ધપાવવા મુખ્યમંત્રીશ્રીનો કોલ મુખ્યમંત્રીશ્રીએ ‘સુશાસનના ૧૨૧ દિવસ’ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત પુસ્તિકાનું લોન્ચિંગ કર્યું -:મુખ્યમંત્રીશ્રી:- • રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વિસ્તારવાના ઉપાયો- કાર્યો માટે રૂ. ૧૦૦ કરોડનું ફંડીંગ આગામી દિવસોમાં ફાળવાશે  • ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં વધુ ૬ જિલ્લાઓ સહિત રાજ્યના ૧૩ જિલ્લાઓ ૧૦૦% નલ સે જલ • સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં સમગ્ર ગુજરાતને ૧૦૦% ‘નલ સે જલ’ યુક્ત રાજ્ય બનવાનો નિર્ધાર • વિકાસની ધારાનો લાભ અંતિમ છૌરના માનવીને પહોંચે- કોઈ વિકાસથી વંચિત રહી ન જાય તેવી નેમ સાથે સરકાર કાર્યરત  • અમારી નવી ટીમે શાસન દાયિત્વ સંભાળ્યાના પહેલા જ દિવસથી લોકપ્રશ્નો- જનસમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનતા જનાર્દનની સેવા કરવાની તેમની ટી...

ભારતીય સેના 74મો આર્મી ડે ઉજવે છે.

Image
ભારતીય સેનાએ આજે ​​તેનો 74મો આર્મી ડે ઉજવ્યો. દર વર્ષે, 15 જાન્યુઆરી એ પ્રસંગને યાદ કરવા માટે "આર્મી ડે" તરીકે ઉજવવામાં આવે છે જ્યારે જનરલ (બાદમાં ફિલ્ડ માર્શલ) કેએમ કરિયપ્પાએ 1949માં છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ સર એફઆરઆર બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હતી અને સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ બન્યા. વર્ષ 2022 માટે ભારતીય સેનાની થીમ, “ઇન સ્ટ્રાઇડ વિથ ધ ફ્યુચર”, આધુનિક યુદ્ધમાં વિશિષ્ટ અને વિક્ષેપકારક તકનીકો દ્વારા ભજવવામાં આવતી વધુને વધુ નિર્ણાયક ભૂમિકાની સ્વીકૃતિ છે. ભારતીય સેના પરંપરાગત અને બિન-પરંપરાગત સુરક્ષા પડકારોનો સામનો કરે છે અને આ ઉભરતા પડકારોના નવીન ઉકેલો શોધવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), 5G, રોબોટિક્સ અને ક્વોન્ટમ ટેક્નોલોજી પર ધ્યાન આપી રહી છે.  આર્મી ડેની ઉજવણી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ સમારોહ સાથે શરૂ થઈ હતી જ્યાં ત્રણેય સેનાના વડાઓએ બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય સૈન્યના તમામ રેન્ક માટેના તેમના સંદેશમાં, આર્મી સ્ટાફના વડા, જનરલ એમએમ નરવણેએ ફરજની લાઇનમાં પોતાનો જીવ ન્યોછાવર કરનારા તમામ જવાનોના સર્વોચ્ચ બલ...

જી.જી.હોસ્પિટલ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા ડોક્ટર્સ સાથે બેઠક યોજી

Image
               કોવિડ-૧૯ ની સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ અધિકારીશ્રીઓએ તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાઓ તથા આયોજનોનો ચિતાર મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યો ભૂતકાળના અનુભવોને આધારે ભવિષ્યમાં જાગૃત રહી કોરોનાની ત્રીજી લહેર ફેલાય એ પહેલાં જ સમાપ્ત કરવા મંત્રીશ્રીનું આહ્વાન                જામનગર તા.૧૩ જાન્યુઆરી, કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે ત્યારે જામનગર જિલ્લામાં વાયરસના સંક્રમણ પર નિયંત્રણ આવે તે માટે તંત્ર તથા જી.જી.હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલ પગલાં તથા સારવાર માટે ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, જિલ્લાના કોવિડ નોડલ ડો. એસ.એસ.ચેટર્જી તથા જી.જી. હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ ડો. દિપક તિવારીએ જિલ્લા વહિવટી તંત્ર તથા જી.જી. હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને આયોજનોનો ચિતાર મ...