Posts

Showing posts from April, 2022

ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

Image
 • રાસાયણિક કૃષિના દુષ્પરિણામો થી દેશને મુક્ત કરવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે: પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી • આત્મનિર્ભર ખેડૂત અને આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને સમુધ્ધ ભારતનું નિર્માણ કરે  કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરતા રાજ્યપાલશ્રી પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની મુલાકાત લઈ ખેડુતોની આત્મ નિર્ભરતામાં સહયોગી બનવા અપીલ કરતા રાજ્યપાલશ્રી તથા કૃષિમંત્રીશ્રી જામનગર, તા. ૩૦ એપ્રિલ – ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્તિ અપાવી એજ રીતે જનશક્તિના સામર્થ્યથી રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી દેશને મુક્તિ અપાવવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે. જામનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લા પ્રશાસન...

અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન ખાતે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને ૫૦ મીટર દોડ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ માટે સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ મેળવવા બેટરી ટેસ્ટ યોજાશે

Image
જામનગર તા.૨૧ એપ્રિલ, ગુજરાત સરકારની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત મહત્વાકાંક્ષી યોજના ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના’ અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક સત્રમાં યંગ ટેલેન્ટેડ ખેલાડીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (D.L.S.S.) શાળાઓમાં પ્રવેશ આપવા ૧૧ માં ખેલમહાકુંભ અંતર્ગત યોજાયેલ જામનગર જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ અંડર ૧૧ વયજુથની એથલેટીક્સ સ્પર્ધામાં (૧) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ (૨) ૫૦ મીટર દોડની સ્પર્ધામાં ૧ થી ૮ ક્રમાંકના વિજેતા ખેલાડી ભાઇઓ/બહેનોને જિલ્લા કક્ષાની કસોટી માટે પસંદ કરવામાં આવ્યા છે.જેઓની જિલ્લા કક્ષાની પ્રવેશ કસોટી અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતે તા.૨૯-૦૪-૨૦૨૨ ના રોજ બહેનો માટે તથા તા.૩૦-૦૪-૨૦૨૨ ના રોજ ભાઇઓ માટે બેટરી ટેસ્ટનું આયોજન કરાયું છે. જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ કસોટી આપનાર પસંદગી પામેલ ભાઈઓએ તા.૨૯-૦૩-૨૦૨૨ના રોજ કસોટી આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે. પસંદગી પામેલ ખેલાડીઓ એ K.M.K. ની રશીદ, આધાર કાર્ડ અને સ્કુલ બોનાફાઇડ સર્ટીફીકેટ સાથે રાખી સવારે ૬:૩૦ કલાકે અજીતસિંહજી ક્રિકેટ પેવે...

ખેલ મહાકુંભ-૨૨ અંતર્ગત તા.૨ થી ૮ મે સુધી જામનગર શહેર તથા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે

Image
શહેર કક્ષાની સ્પર્ધામાં ઝોન કક્ષાનાં અને જિલ્લા કક્ષાની સ્પર્ધામા તાલુકા કક્ષાનાં વિજેતા ખેલાડીઓ ભાગ લેશે           જામનગર તા.૨૧ એપ્રિલ, ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગરની શહેરકક્ષા અને જિલ્લાકક્ષાની સ્પર્ધા તા. ૦૨ થી ૦૮ મે સુધી યોજાશે. જેમાં શહેરકક્ષાની સ્પર્ધાઓમાં યોગાસન(ભાઈઓ-બહેનો) સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨નાં રોજ સજુબા ગર્લ્સ હાઇસ્કુલ,જામનગર(બાબુજી ચૌહાણ-૯૭૨૭૪૨૧૭૮૩),ચેસ(ભાઈઓ-બહેનો) સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨નાં રોજ જીએચ.ગોસરાણી કોલેજ (હરિયા),જામનગર(પ્રભાંશુ અવસ્થી-૯૯૭૪૦૬૫૯૫૮), કબ્બડી (ભાઈઓ) તા.૦૩/૦૫/૨૦૨૨નાં રોજ પ્રણામી હાઈસ્કૂલ                મેદાન,જામનગર(અજયસિંહ ચૌહાણ-૯૦૯૯૧૬૮૭૭૭) કબડી (બહેનો) સ્પર્ધા તા.૦૪/૦૫/૨૦૨૨નાં રોજ શાળા નં-૩૧ મેદાન,જામનગર(દિવ્યેશ કપુરિયા-૯૬૦૧૧૦૦૦૮૩), વોલીબોલ(ભાઈઓ) તા.૦૩/૦૫/૨૦૨૨નાં રોજ ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય મેદાન,જામનગર(જયદીપ અ...

ગ્લોબલ સેન્ટર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાંચ લક્ષ્ય આપ્યા

Image
 ટેક્નોલોજીના ઉપયોગ થકી પરંપરાગત વિદ્યાનો ડેટા બેઝ તૈયાર કરવો  ટેસ્ટીંગ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવું  અનુભવોની આપ-લે કરવા માટે વાર્ષિક ફેસ્ટીવલનું આયોજન  રિસર્ચ કાર્યમાં ઇન્વેસ્ટમેન્ટ  વૈશ્વિક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તૈયાર કરવા “ગુજરાતમા મને બહુ મજા આવી “  -WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ  જામનગર તા. 19 એપ્રિલ, નમસ્તે, નમસ્કાર , કેમ છો બધા મજામાં, ગુજરાત આવી મને બહુ મજા આવી  આ શબ્દો છે WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ ના  ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીનના શિલાન્યાસ પ્રસંગમાં જામનગર ખાતે સહભાગી થવા  આવેલા WHOના ડાયરેકટર જનરલે ગુજરાતીમાં તેમના સંબોધનની શરૂઆત કરતા ઉપસ્થિત જનમેદનીએ  ડો.ટેડ્રોસને તાળીઓના ગળગડાટથી વધાવ્યા હતા.  ડો.ટેડ્રોસે તેમના 16 મિનિટના પ્રવચનના અંતે ગુજરાતીમાં આવજો કહીને સૌના દિલ જીતી લીધા  હતા.  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દુનિયામાં હેલ્થ અને વેલનેશના સૌથી મોટા આયોજનમાં ભારતને  સામેલ કરવા બદલ તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બોલીને સૌનું દિલ જીતી લેનાર WHO ના ...
Image
 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સંકુલનું જામનગર ખાતે ભૂમિપૂજન કર્યું WHO ના વડા ડૉ. ટેડ્રોસ એધનોમ-મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતી -:વડાપ્રધાનશ્રી:- • માનવતાની સેવાની જવાબદારી નિભાવવા માટે GCTMની સ્થાપનામાં વિશ્વ  આરોગ્ય સંગઠન અને ભારત સરકારના આયુષ મંત્રાલયની ભાગીદારી • GCTM વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર  કરનારું કેન્દ્ર બનશે • ભારતનું જ્ઞાન GCTM ખાતે પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો  ફાળો આપશે • કોરોનાકાળમાં હેલ્થકેર ડિલિવરી માટે નવા આયામોની આવશ્યકતા દુનિયાને  સમજાઈ -:વડાપ્રધાનશ્રીએ GCTM ના સફળ ક્રિયાન્વયન માટે આપ્યા પાંચ લક્ષ્યો:- • વિશ્વભરની ટ્રેડિશનલ મેડિસિન વિદ્યાઓનું ટેક્નોલોજીથી સંકલન • ટ્રેડિશનલ મેડિસિનના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ  ઘડવા  જિલ્લા માહિતી કચેરી, ગુજરાતરાજ્ય, જામનગર  Email- informationjam@gmail.com ફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭  www.gujaratinforma...

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસનું જામનગર એરપોર્ટ સ્ટેશન પર કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો દ્વારા કરાયું ભાવભીનું સ્વાગત

Image
જામનગર તા. ૧૯ - જામનગર ખાતે WHO અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનો  શિલાન્યાસ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડો.  ટેડ્રોસ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.  તેઓ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આજે બપોરે આવી પહોંચતા તેમનું સ્વાગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ  માંડવિયાએ કર્યું હતું. તેમજ આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી  ઋષિકેશભાઈ પટેલ પણ જોડાયા હતા. ત્યારબાદ WHO ના ડાયરેક્ટર જનરલ એરફોર્સથી સભાસ્થળે પહોંચવા રવાના થયા હતા.  આ દરમિયાન જામનગર વાસીઓએ તેમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે પરંપરાગત વસ્ત્રોમાં રાસ ગરબા અને  વિવિધ કૃતિઓ તેમની સમક્ષ રજૂ કરી હતી. ડો. ટેડ્રોસનું પુષ્પવર્ષાથી પરંપરાગત સ્વાગત કરી તેમને વધાવ્યા હતા. આ તકે જામનગર  વાસીઓ પણ તેમના અભિવાદન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે મોરેશિયસના વડાપ્રધાન શ્...

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી

Image
  રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ રામ નવમીના પાવન પર્વે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના સહ પરિવાર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિશ્રીને શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર શ્રી એમ.એ.પંડ્યા, શ્રી ધનરાજભાઈ નથવાણી, જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડે વગેરેએ આવકાર્યા હતા.ત્યાર બાદ જગત મંદિર ખાતે પૂજારી શ્રી દીપકભાઈ, શ્રી હેમલભાઈ તથા શ્રી મુરલીભાઈએ  રાષ્ટ્રપતિશ્રીને ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કરાવ્યું હતું. રાષ્ટ્રપતિશ્રીએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું.તેમજ રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. મંદિર પરિસરમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટર સુશ્રી નંદિની ભટાચાર્યએ રાષ્ટ્રપતિશ્રી, રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઇતિહાસ વિશે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી જેને રાષ્ટ્રપતિશ્રીએ ખૂબ જ રસપૂર્વક સાંભળી જરૂરી વિગતો મેળવી હ...

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તા.૮ થી ૧૦ એપ્રિલ-ર૦રર દરમ્યાન યોજાશે

Image
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પરિક્રમા પ્રારંભ દિને આદ્યશક્તિના દર્શન-અર્ચન કરશે  અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નિર્માણ થયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નું મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થશે  વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ આદ્યશક્તિ પીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ દરમ્યાન તા. ૮ થી ૧૦ એપ્રિલના દિવસોએ શ્રી પ૧ શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની પરિપાટીએ આ શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે.  આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે પ૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થશે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ પરિક્રમાના પ્રારંભ અવસરે આવતીકાલ શુક્રવાર તા.૮ એપ્રિલે સાંજે અંબાજી ધામ પહોચીને આદ્યશક્તિ અંબાના પૂજન-અર્ચન કરશે.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નું લોકાર્પણ કરશે....

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સક્રિય સભ્ય સંમેલન યોજાયું

Image
 કાર્યકર્તાએ જ પક્ષની મોટી તાકાત છે - ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીએ વિશ્વની સહુથી મોટી રાજકીય પાર્ટી બની છે, જે કાર્યકર્તાઓ ને આભારી છે. કાર્યકર્તાઓ જ પક્ષ ની સાચી તાકાત હોય છે. અને ભારતીય જનતા પાર્ટીએ પેઇજ સમિતિ દ્વારા ઘરે ઘરે કાર્યકર્તા સ્થાપિત કરેલ છે. અને આ જ બાબત પક્ષ ની તાકાત બની છે. વિશેષથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે સંકળાયેલ રહી પક્ષની કામગીરીને જનજન સુધી પહોંચાડવાનું તથા પક્ષને વધુ ને વધુ મજબૂત બનાવવાનું કામ સક્રિય સભ્યો કરી રહ્યા છે. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના તમામ સક્રિય સભ્યો સાથે વર્ચુઅલ સંવાદ કરી વિશ્વમાં સહુથી મોટી બેઠક, સંમેલન નું આયોજન કરવામાં આવેલ.  ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આયોજિત સક્રિય સભ્ય સંમેલનમાં જામનગર મહાનગરના પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાની વિશેષ ઉપસ્થતિ રહેલ. તેઓએ પોતાના ઉદબોધનમાં કાર્યકતાઓની તાકાત અને સમર્પણની બાબત વર્ણવેલ.  આ તબક્કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ સાહેબએ વર્ચુઅલ ઉદબોધનમાં જણાવેલ કે, એટલું મોટું સંમેલન કદાચ વિશ્વમાં પ્રથમ વખત યોજાયુ જે...