જામનગરના દરેડમાં ઠેક ઠેકણે કેમિકલ-એસીડના ખાબોચિયા

સુરતના સચિન જી.આઈ.ડી.સી.માં બનેલી ઘટના જેવો જ બનાવ જામનગરમાં ન બને તે માટે તંત્ર ધ્યાન આપે તેવી માંગ


જામનગર શહેરનાં દરેડ જી.આઈ.ડી.સી. ખાતે આવેલી કંપનીઓ અને કારખાનાઓ દ્વારા બહાર ફેકવામાં આવતા કેમિકલ તેમજ એસીડના ઠેરઠેર ખાબોચીયા ભરેલા જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં સુરતના જી.આઈ.ડી.સી. ખાતે બનેલી ઘટનામાં ૬ મજુરોના  મોત નીપજયા હતા ત્યારે આ ઘટના કેમિકલ વેસ્ટને ખુલ્લામાં ઠાલવવાના કારણે જ બની હોઈ તેવામાં  જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. ખાતે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કેમિકલ એસીડેના ખાબોચિયા તાત્કાલિક અસરથી દુર કરવા તેમજ કંપની અને કારખાનાઓને તાકીદ કરવા માંગ કરવામાં આવી છે.

Darshan Kanakhara 
Mo. 9978679392 / 9313236388

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.