Posts

PMJAY યોજનાની અપ્રુવલ બાદ જ ઓપરેશન કર્યા છે: સરકાર સમક્ષ સસ્પેન્શન પાછુ ખેંચવા અમો અમારો પક્ષ રાખીશું.

Image
અમોને ઓસવાળ આયુષ હોસ્પિટલ ને ગઈ કાલ બપોર ના ૧૨ કલાકે પીએમજેએવાય યોજના તરફ થી એક મેઈલ મળેલ જેમાં ઓશવાળ આયુષ હોસ્પિટલ ના કાર્ડિયાક વિભાગ ને પીએમજેએવાય યોજના માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ અને સાથે પીએમજેએવાય યોજના માંથી હોસ્પિટલ ના કાર્ડિયોલોજીસ્ટ ને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ જે અંગે ૩૫ દર્દીઓ ની ક્વેરી પીએમજેએવાય યોજના તરફ થી આપવામાં આવેલ જે અંગે અમો જણાવવા માંગીએ છીએ કે પીએમજેએવાય યોજના ના પ્રોસેસ ફલો મુજબ પીએમજેએવાય યોજના ની કોઇપણ સારવાર માટે એક અપ્રુવલ પ્રોસેસ હોઈ છે. જે અમો દ્વારા અમારા આ પીએમજેએવાય યોજના હેઠળ ની ક્વેરી વાળા દરેક ૩૫ દર્દીઓ માં અપ્રુવલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે. વધુમાં કોઈપણ કાર્ડિયાક પ્રોસીજર પહેલા તેમના માટે ના એન્જીયોગ્રાફી ના વિડીયો, જરૂરી રીપોર્ટસ વગેરે પીએમજેએવાય યોજના ના પોર્ટલ પર અપલોડ કરવાનું હોઈ અને પીએમજેએવાય યોજના ની એક્સપર્ટ ટીમ આ રીપોર્ટસ અને વિડીઓ જોયા અને રીવ્યુ કાર્ય બાદ જ સ્ટેન્ટ પ્રોસીજર માટે અપ્રુવલ આપતા હોઈ છે જે અમોએ પણ આ દરેક દર્દી માં પીએમજેએવાય યોજના ની અપ્રુવલ આવ્યા બાદ જ આ પ્રોસીજારો કરેલ છે.  સરકારી શ્રી આવનારા દિવસો માં બોલ...

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

Image
શ્રી મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને આગંતુક ભક્તોને સુરક્ષિત, આરામદાયક અને ગરિમાપૂર્ણ નિવાસની સુવિધા પૂરી પાડશે. તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ, તેમજ પુષ્ટિમાર્ગીય થાળ-પ્રસાદ પ્રણાલિ પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે. આ પવિત્ર પહેલને પૂજ્ય શ્રી વિશાલબાવા સાહેબની દિવ્ય પ્રેરણા અને શ્રી અનંત અંબાણીના સમર્પિત પ્રયાસોથી વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાથદ્વારા પધારતા દરેક ભક્તને સેવા અને ભક્તિનાં મૂલ્યો જાળવતી સંયોજિત, કરુણાસભર અને માનસભર સેવા પ્રાપ્ત કરવાનો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ શુભપ્રસંગે ...

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

Image
પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

ગુજરાત ઇન્ફોર્મેશન હવે whatsapp પર માત્ર ક્યુઆર કોડ સ્કેન કરો અને આંગળીના ટેરવે મેળવો વૈવિધ્યસભર માહિતી

Image
સ્પર્ધાત્મક યુગમાં વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે કરંટ અફેર્સથી અપડેટ રહેવું આ માધ્યમ થકી હવે સરળ આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં માત્ર ફોન એવું સાધન છે, જે દરેક વ્યક્તિ પાસે હંમેશા હાથવગું રહે છે. ત્યારે સોશિયલ મીડિયાના આ યુગમાં કોઈપણ માહિતી ગણતરીની ક્ષણોમાં મેળવવી આસાન બની રહી છે. જેના બે પાસા છે, એક સારું અને એક નબળું. સારી વાત એ છે કે, તમને દુનિયાના કોઈપણ ખૂણાની ઘટનાની જાણકારી મિનિટમાં મળી રહે છે, જ્યારે તેનું નબળું પાસું એ છે કે, મળેલા સમાચારની ખરાઈ કે તેનું ઓથેન્ટિકેશન કેટલું,?આ એક મોટો પ્રશ્ન બની જાય છે. જેના જવાબમાં ગુજરાત ઇન્ફોર્મેશનની આ નવી પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે બાળકો યુવાનો વૃદ્ધો દરેકને અન્ય કોઈપણ એપ વાપરતા આવડે કે ન આવડે પણ whatsapp નો વપરાશ તેવો સરળતાથી કરી શકે છે. ત્યારે ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા નવી whatsapp ચેનલ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા કોઈપણ વ્યક્તિ દરેક જિલ્લાની વિગતો, પ્રેસ નોટ,નવીન ઘટનાઓની માહિતી, વિકાસ કાર્યો વગેરે સેકન્ડોમાં મેળવી શકે છે.  આજના સ્પર્ધાત્મક યુગમાં વિવિધ પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે કરંટ અફે...

પરંપરાગત ચિકિત્સાનું સૌથી પૌરાણિક શાસ્ત્ર :આયુર્વેદ ક્ષેત્ર આરોગ્યનું આરાધનાલય એટલે આઇ.ટી.આર.એ. જામનગર

Image
જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ) એ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રનું સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન છે. આજ રોજ તા. ૧૨ જૂલાઇના રોજ સંસ્થાનો પ્રથમ પદવિદાન સમારોહ કેન્દ્રિય આયુષ મંત્રી પ્રતાપરાવજાધવની અધ્યક્ષતામાં યોજવામાં આવી રહ્યો છે. આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી અને તેની સમગ્ર આઇ.ટી.આર.એ.ની ટીમ દ્વારા ઇટ્રાના પ્રથમ પદવિદાન સમારંભ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.  આ પદવિદાન સમારોહમાં કુલ ૨૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. જેમાં એમ.ડી./એમ.એસ.ના ૧૪૩ તબીબી વિદ્યાર્થીઓ, એમ. ફાર્મ આયુર્વેદના ૩૫, એમ.એસ.સી. મેડિશ્નલ પ્લાન્ટના ૨, ડિપ્લોમા આયુર્વેદ ફાર્મસીના ૩૩, ડિપ્લોમા નેચરોપેથીના ૧૮, પી.જી.ડી.વાય.એન.ના ૩ વિદ્યાર્થીઓ એ સમારોહમાં હાજરી આપી પદવી ગ્રહણ કરી હતી. આયુર્વેદનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પદવિદાનમાં પોતાની ડિગ્રી મેળવી હતી. સમારોહમાં પાંચ વર્ગમાં સૌથી ઉત્તમ અને ઉચ્ચાત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યું છે વધુમાં શ્રેષ્ઠ સંશ...

શિક્ષણના ક્ષેત્રે ઘડી ડીટર્જન્ટ (RSPL ગ્રુપ) નું યોગદાન : દેવભૂમિ દ્વારકાની અનેક શાળાઓના બાળકોને મળ્યું ખાસ પ્રોત્સાહન....

Image
અંદાજે 21000 જેટલી નોટબુક્સ અને 1000 એજ્યુકેશન કિટ્સ નું વિતરણ... દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી ઘડી ડીટર્જન્ટ (RSPL ગ્રુપ) દ્વારા શિક્ષણ પ્રત્યેની જવાબદારી નિભાવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ RSPL વેલ્ફેર ફાઉન્ડેશનના માધ્યમથી, દેવભૂમિ દ્વારકાની 36 જેટલી શાળાઓમાં અંદાજે 21000 જેટલી નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવના સુવર્ણ અવસરે અને કન્યા કેળવણી ના ભાગરૂપે બાળકો માટે તૈયાર કરેલી 1000 જેટલી એજ્યુકેશન કિટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેમાં શૈક્ષણિક સાધનો - સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ સેટ, શાર્પનર, રબર સહીત પાણી ની બોટલ વગેરે સમાવેશ થતો હતો. આ સરાહનીય પહેલથી ગામડાના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવા અને તેમને ઉત્સાહિત કરવા માટેના આ યોગદાન બદલ શાળા ના આચાર્યો, શિક્ષકો તથા સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા ઘડી ડિટર્જન્ટ (RSPL ગ્રુપ)નો તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

નયારા એનેર્જીના સહયોગથી મલ્ટી સ્કિલ ટ્રેનિંગ સેન્ટરમાં 150 યુવાનોએ રોજગાર કૌશલ્યની તાલીમ મેળવી

Image
ખંભાળિયામાં પ્રોજેક્ટ એક્સેલ અંતર્ગત તાલીમ પૂર્ણ કરેલા યુવાનોને પ્રમાણપત્ર અર્પણ નયારા એનેર્જીના સહયોગથી ખંભાળિયામાં કાર્યરત મલ્ટી ટ્રેનિંગ સ્કિલ સેન્ટરમાં રોજગાર કૌશલ્યની તાલીમ પૂર્ણ કરનારા 150 સ્થાનિક યુવાનોને અધિકારીગણની ઉપસ્થતિમાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.   નયારા એનર્જીની  ઔદ્યોગિક સામાજિક જવાબદારીની પહેલ  અને  પ્રોજેક્ટ એક્સેલ હેઠળ ખંભાળિયામાં સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલ નજીક અત્યાધુનિક મલ્ટી સ્કીલ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત કરાયું છે. આ કેન્દ્રમાં  ઓફર કરવામાં આવતા વિવિધ રોજગાર યોગ્યતા કૌશલ્યો અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ૧૫૦ થી વધુ યુવાનો દ્વારા સફળતાપૂર્વક તાલીમપૂર્ણ કરાઈ હતી.  તાલીમ દરમિયાન આ યુવાનોને ઉણપ દૂર કરી આવનારા સમયમાં જરૂર પાડનારી સ્કિલની તાલીમ આપી સક્ષમ બનાવાયા હતા. યુવાનો અને મહિલાઓને નવી કુશળતા શીખવા અને જીવનમાં આગળ વધવાની તકો પૂરી પાડીને તેમની સર્જનાત્મક ક્ષમતાને ઉજાગર કરાઈ હતી. કેન્દ્રમાં કમ્પ્યુટર કોન્સેપ્ટ્સ, બ્યુટી એન્ડ વેલનેસ અને ટેલી એકાઉન્ટિંગ સહિત વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમોનું સંચાલન કેન્દ્રમાં  કરવ...