જામનગરમાં ગુંજ્યું ‘જિંદગી ઝિંદાબાદ’: કેન્સરને હરાવનારા અસલી ‘ધુરંધરો’નું આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા ભવ્ય સન્માન
જામનગર: કહેવાય છે કે ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’. આ વાતને સાર્થક કરી બતાવી છે એવા સેંકડો કેન્સર વિજેતાઓએ , જેમના સંઘર્ષ અને વિજયને વધાવવા માટે ગત રવિવારે જામનગરની આયુષ કેન્સર હોસ્પિટલ ખાતે એક ભાવસભર કાર્યક્રમ ‘કેન્સરના અસલી ધુરંધર’ યોજાઈ ગયો. વિશ્વ કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આ સમારોહમાં જ્યારે કેન્સર સામે જંગ જીતનારા વિજેતાઓ મંચ પર આવ્યા , ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી આયુષ કેન્સર હોસ્પિટલ ખાતે યોજાયેલા આ સમારોહમાં 170 થી વધુ કેન્સરના ધુરંધરો , 300 થી વધુ તેમના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં શહેરી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જીવન પ્રત્યેના વિશ્વાસ અને હકારાત્મકતાનો ઉત્સવ બની રહ્યો હતો. આ પ્રસંગે કેન્સર વિજેતા ધુરંધરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન અનેક ધુરંધરોએ પોતાના રોગ દરમિયાનનો અનુભવ , સહન કરેલી તકલીફો , સંઘર્ષ અને હોસ્પિટલ તરફથીમળેલા પારિવારિક સહયોગ વિશે વાત કરતા સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. હાલાર પંથકમાં વર્ષ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલ અનેક પરિવારો માટે આશ...