Posts

Showing posts from February, 2025

વિશ્વ મહિલા દિનની ઉજવણી પૂર્વે રિલાયન્સ દ્વારા મોટી ખાવડી ખાતે મહિલા સંમેલન યોજાયું

Image
‘સ્વાશ્રય’ની બહેનો સાથે પ્રેરણાદાયી મહિલાઓનો પરામર્શ ૰૰૰ જામનગર તા. 28 ફેબ્રુઆરી, 2025 આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય, આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે કાર્યરત છે. મહિલા સંમેલનમાં ઉપસ્થિત 150 થી વધુ મહિલાઓ અને તેમનાં વિવિધ ગ્રૂપ્સ જેવાંકે, બેન બા ગ્રૂપ, હાટ ગ્રૂપ, સન્નારી ગ્રૂપ, સહેલી ગ્રૂપ, સ્વાદ ગ્રૂપ અને સહયોગ ગ્રૂપ દ્વારા તેમના હસ્તકલા,  સિલાઈ કામ , ઈમીટેશન જ્વેલરી અને તાજા નાસ્તાનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ મહિલાઓએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત- સન્માન કરીને સ્વાશ્રયના સથવારે પોતે સાધેલા વ્યક્તિગત વિકાસના અનુભવો અને તેને પરિણામે જીવનધોરણમાં થયેલ પરિવર્તનનું ગૌરવ પણ જાહેરમાં વ્યક્ત કર્યા હતાં. સંમેલનમાં સંઘર્ષોમાંથી પસાર થઈને પોતપોતાના ક્ષેત્રમાં નેત્રદિપક કામગીરી કરનાર ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈ એરફોર્સ સ્ટેશન, સર્કિટ હાઉસ તથા મહાનુભવના કોન્વોય રૂટ સહિતના વિસ્તારોને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયા

Image
જામનગર તા.28 ફેબ્રુઆરી, આગામી તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે છે. તા.૧ માર્ચના રોજ વડાપ્રધાનશ્રી સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર છે. જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ લઈ મહાનુભાવની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચાડે તે હેતુથી અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ અન્વયે જામનગર જિલ્લાના એરફોર્સ સ્ટેશન, પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા, જામનગર એરપોર્ટથી લાલ બંગલા સંકુલ સુધીનો  તથા મહાનુભાવોશ્રીના આવવા-જવાના કોન્વોય રૂટ અને જામનગર (શહેર) થી લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) સુધીના જામનગર ખંભાળિયા હાઇવેના રસ્તાની આજુ-બાજુના વિસ્તારોને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર કરેલ છે.અને તે વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચ...

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ;મતદાતાઓમાં અનેરો ઉત્સાહ

Image
સવારે 11:00 કલાક સુધીમાં જામજોધપુર 20.53, ધ્રોલ 21.17 તેમજ કાલાવડ 23.19 ટકા જ્યારે 14-જામ વંથલી બેઠક પર 14.96 ટકા મતદાન નોંધાયું જામનગર તા.16 ફેબ્રુઆરી, જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આજે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.યુવાઓ વહેલી સવારથી જ મતદાન માટે કતારબદ્ધ જોવા મળી રહ્યા છે.જ્યારે મહિલાઓ તથા વડીલોમાં પણ મતદાનને લઈ અનેરો ઉત્સાહ છે.સમગ્ર મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કર તથા પોલીસ આધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા પણ સતત મોનીટરીંગ થઈ રહ્યું છે જ્યારે તેઓના માર્ગદર્શન હેઠળ સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે.ઉલ્લેખનીય છે કે આજ સવારે 11:00 કલાક સુધીમાં જિલ્લાની જામજોધપુર બેઠક પર 20.53 ટકા, ધ્રોલ બેઠક પર 21.17 તેમજ કાલાવડ બેઠક પર 23.19 ટકા જ્યારે તાલુકા પંચાયતની 14-જામ વંથલી બેઠક પર 14.96 ટકા મતદાન નોંધાયું છે.