Posts

Showing posts from October, 2024

નયારા એનેર્જી દ્વારા 18 ગામોની 3500 બાળાઓને નવરાત્રિની લ્હાણીનું વિતરણ

Image
ખંભાળિયા, લાલપુર અને જામનગર તાલુકાના ગામોના સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબી મંડળોની બાળાઓએ લ્હાણી સ્વીકારી ખુશી વ્યક્ત કરી આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જી દ્વારા તેની વાડીનાર રિફાઇનરી નજીક આવેલા 18 ગામોમાં ગરબે રમતી 3500 બાળાઓને નવરાત્રિ પ્રસંગે લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.  માતાજીની આરાધનાના નવરાત્રિપર્વ નિમિતે નયારા એનેર્જી દ્વારા વિવિધ ગરબા મંડળોમાં ગરબા રમતી બાળાઓને સુંદર મજાની ગૃહ ઉપયોગી લ્હાણી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. લ્હાણીનું વિતરણ જે તે ગામોના સરપંચ, સભ્યો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. લ્હાણી મેળવી બાળાઓએ ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી. ખંભાળિયા તાલુકાના વાડીનાર, ભરાણા, ટીમ્બડી, વડાલિયા સિંહણ, સોઢા તરઘડી, કાઠી દેવરિયા, નાના માંઢા, મોટા આંબલા,  કજુરડા, આરાધના ધામ તથા લાલપુર તાલુકાના ઝાખર, મિઠોઈ, સિંગચ, મોડપર, રાસંગપર, ખટિયા બેરાજા  અને જામનગર તાલુકાના બેડ તથા શાપર ગામની 3500 બાળાઓને લ્હાણીનું વિતરણ કંપનીના અધિકારીગણ દ્વારા કરાયું હતું.

રિલાયન્સ દ્વારા જી.જી. હોસ્પિટલને 125 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ

Image
રિલાયન્સ દ્વારા જી.જી. હોસ્પિટલને 125 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ ** સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ ••• જામનગર તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪.  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અવિરતપણે હાથ ધરાતાં સામાજિક ઉત્તરદાયિત્વના વિવિધ કાર્યો અંતર્ગત જામનગરની સરકારી શ્રી ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલને 125 નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન અને નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર નિર્માણ, મહિલા સશક્તિકરણ, યુવા કૌશલ્યવર્ધન સહિતની અનેક પ્રવૃત્તિઓ રિફાઈનરીની આજુબાજુના વિસ્તારમાં તો નિયમિત રીતે થાય છે પરંતુ તાકીદની પરિસ્થિતીમાં જ્યારે જ્યારે  યોગદાનની જરૂર ઉભી થાય ત્યારે રિલાયન્સ અચુકપણે જામનગર શહેર અને રાજ્યને મદદ કરવામાં અગ્રેસર રહે છે. કોરોનાના કપરા કાળમાં રિલાયન્સ દ્વારા નિર્માણ કરાયેલી ચિલ્ડ્રન કોવિડ હોસ્પિટલ, ઓક્સિજનનો પુરવઠો  તથા અન્ય તબીબી સાધનો માટે થયેલી સેવાને લોકો આજે પણ યાદ કરે છે. તાજેતરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરની સરકારી શ્રી ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલને 125 નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ આપવામાં ...

વાંકાચૂંકા દાંતની માટે અદૃશ્ય બ્રેસિસ અને બાળકોના દાંતની સારવાર માટે લાફિંગ ગેસ સાથે અદ્યતન હોસ્પિટલનો શુભારંભ

Image
જામનગર શહેર માટે વાંકાચૂંકા દાંતની સારવાર અને બાળકોના દાંત માટે પીડારહિત ટ્રીટમેન્ટમાં અતિ આધુનિક હોસ્પિટલ “ભગદે ઓર્થોડોન્ટિક એન્ડ પિડિયાટ્રિક ડેન્ટલ કેર” નો રવિવાર, તા. ૧૩ ઓક્ટોબરના રોજ પંડિત નેહરૂ માર્ગ ઉપર માણેક સેન્ટરની બાજુમાં સ્વાગત કોમ્પલેક્ષમાં બીજા માળે શુભારંભ થઈ રહ્યો છે. જામનગરના જાણીતા તબીબી ભગદે પરિવારના ડો. આશિષ ભગદે અને તેમના પત્ની ડો. અનમોલ પટેલ ભગદે આ નવી સુવિધાસભર અદ્યતન હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા છે. ડો. અનમોલ પટેલ ભગદે (બી.ડી.એસ., એમ.ડી.એસ. ઓર્થોડોન્ટિસ્ટ) વાંકાચૂંકા દાંતની સારવાર માટે જામનગરમાં પ્રથમ એવા સર્ટિફાઇડ ઇનવિઝાલાઇન ટેક્નોલોજી (યુ.એસ.એ.) એટલે કે અદૃશ્ય બ્રેસિસ અને શહેરમાં એકમાત્ર આઈટેરો ડેન્ટલ સ્કેનરની નવી ટેકનોલોજી લાવ્યા છે. જામનગરમાં પ્રથમ વખત આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી ડેન્ટલ ટ્રીટમેન્ટ કર્યા પછી તમારા દાંત તથા ચહેરો ભવિષ્યમાં કેવો લાગશે તે સિમ્યુલેશનથી દર્શાવવામાં આવશે. ડો. અનમોલ દ્વારા ઇનવિઝાલાઇન (અદૃશ્ય) બ્રેસિસ , મેટલ/સેલ્ફ લોકિંગ બ્રેસિસ અને સિરામિક/સેલ્ફ લોકિંગ બ્રેસિસ ની મદદથી વાંકચૂંકા દાંત, આગળ પડતા દાંત, ઉપરના દાંત અંદર પડતા હોય, રાક્...