Save Soil અભિયાનના પ્રણેતા સદગુરૂ જગગી વાસુદેવજીનું 27 દેશોના ભ્રમણ બાદ જામનગર ખાતે આગમન

આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આજની પેઢીએ જમીનની ફળદ્રુપતા ટકાવવી ખૂબ જ જરૂરી - સદગુરુ પ્રતાપ વિલાસ પેલેસ ખાતે સદગુરુનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું: વિશાળ બાઇક રેલી તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ કરાયું આયોજન જામનગર તા.29, Save soil અભિયાનના પ્રણેતા શ્રી સદગુરૂ જગગી વસુદેવજી આજે પોતાનો 27 દેશો અને 30 હજાર કી.મી. નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા.જ્યાં શહેરના નગરજનો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈકરેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે દ્વિતીય વિશ્વ યુધ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જે ધરા પર આવી આજે હું મને ભાગ્યશાળી માનું છું. તેમણે આ પ્રસંગે save soil એટલે કે ભૂમિ બચાવો અભિયાન વિશે જણાવતા કહ્યું કે તેઓનો સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના ૪ અબજ લોકો સુધી પહોંચી આ અભિયાનમાં જોડવાનો છે.હવે સમય છે કે આપણે આવનારી નવી પેઢીના ઝળહળતા ભવિષ્ય માટે એકત્રિત બની આ દિશામાં આજથી જ કા...