Posts

Showing posts from March, 2023

દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના બેટ દ્વારકામાં લોકહિતમાં કરાયેલા ડીમોલેશન સાઈટનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Image
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની કામગીરીની બેટ દ્વારકામાં સમીક્ષા કરી ૦૦ ::મુખ્યમંત્રીશ્રીની મક્કમતા:: ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરની દરિયાઈ પટ્ટી પર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં: ગેરકાયદે દબાણ ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ૦૦૦ દરિયાઈ સલામતી માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે: મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શાંતિ- સલામતી અને સુરક્ષા માટે કડક કાર્યવાહી: ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ૦૦૦ દ્વારકા કોરિડોર અને બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ સહિતના પ્રવાસન તીર્થના વિકાસલક્ષી કાર્યો આગળ વધી રહ્યા છે .......... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવાં બેટ દ્વારકાની રૂબરૂ મુલાકાત લઇ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.      મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠા પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના અને એવા પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યુ ખાતાની ક...

રૂ.13 કરોડના ખર્ચે જી.જી.હોસ્પિટલને મળી નવા આધુનિક એમ.આર.આઈ.મશીનની ભેટ

Image
સ્થાનિક કક્ષાએ જ એમ.આર.આઈ.ની સુવિધા ઉપલબ્ધ થતાં લોકોનો સમય બચશે અને તેઓને ઝડપી સારવાર ઉપલબ્ધ થશે - મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં એમ.આર.આઈ.મશીન કરાયું લોકાર્પિત જામનગર તા.26, શહેરની ગુરૂ ગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલ ખાતે આજે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં સરકાર દ્વારા રૂ.13 કરોડથી વધુના ખર્ચે ફાળવવામાં આવેલ નવા આધુનિક એમ.આર.આઈ.મશીનનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જામનગરના ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી સહિતના આગેવાનોની સરકાર સમક્ષની રજૂઆતોના પરિણામે આજે જામનગરને આ આધુનિક એમ.આર.આઈ.મશીનની ફાળવણી શકય બની છે.પહેલાં જી.જી.હોસ્પિટલમાં એમ.આર.આઈ.ની સુવિધાના અભાવે દર્દીઓએ બહાર જવું પડતું ત્યારે હવે સ્થાનિક કક્ષાએ જ આ સુવિધા ઉપલબ્ધ થતાં લોકોનો સમય બચશે અને તેઓને ઝડપી સારવાર ઉપલબ્ધ થશે.ઉપરાંત અત્રેના મેડિકલના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સબંધિત અનુકૂળતાઓ રહેશે.આ પ્રકારના 8 મશીનો રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ ફાળવવા...

ગુજરાત હાઈકોર્ટનું અવલોકન:સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને ટાઉન પ્લાનિંગ વિભાગ ખાનગી પાર્ટીના એજન્ટ છે.

Image
હાઇકોર્ટનો આદેશ અને ટિપ્પણીઓ  (1) 6 માર્ચે હાઇકોર્ટમાં રૂબરૂ આવી કમિશનર શાલિની અગ્રવાલ બિનશરતી માફી માંગે,અને એ પેહલા જવાબદારોને સસ્પેન્ડ કરે,અને એની વિગતો રજૂ કરે, (2) ખાનગી વ્યક્તિ ને ફાયદો કરાવવા મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ વિભાગે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હાઇકોર્ટની નોટિસને અવગણી ફેરફાર કર્યો,હાઇકોર્ટે સરકારનાં એડવોકેટ જનરલને તેડાવી સરકારને ખાતાકીય કાર્યવાહી કરવા કહ્યું (3) હાઇકોર્ટની સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી "ન્યાયિક પ્રક્રિયા પડતર હતી છતાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ખાનગી વ્યક્તિને લાભ કરાવવા કાનૂની પ્રક્રિયામાં  હસ્તક્ષેપ કરી,કાયદો હાથમાં લીધો,હાઇકોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરી,સમગ્ર મામલામાં જવાબદારોને સસ્પેન્ડ કરી રિપોર્ટ કરો" (4) -- હાઈકોર્ટ "ન્યાયિક પ્રક્રિયા પડતર હોય ત્યારે અધિકારી નિર્ણય ન લઈ શકે,એડવોકેટ જનરલ બેનને કાનૂની સમજ આપે".વળતામાં એડવોકેટ જનરલ પગલાં લેવા ખાતરી આપી. (5) હાઇકોર્ટમાં ગુહાર લગાવનાર સામાન્ય જનને એવું ન લાગવું જોઈએ કે,તે ન્યાય મેળવવા હાઇકોર્ટ આવ્યો,કોર્ટે કમિશનર અને સરકારને નોટિસ આપી હોવા છતાં અધિકારીઓએ ખાનગી વ...