Posts

Showing posts from June, 2022

મુશ્કેલીમાં આસામના લોકોની પડખે ઊભા રહી, રિલાયન્સ ફાઉન્ડેશને આસામ મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું; રાહત કાર્યોમાં પણ મદદ સતત જારી

Image
છેલ્લા કેટલાક દિવસોથી ભયાનક પૂરનો સામનો કરી રહેલા આસામના લોકોને મદદ પહોંચાડવા માટે રિલાયન્સ ફાઉન્ડેશને શુક્રવારે મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “આ મુશ્કેલીના સમયમાં આસામના લોકોની પડખે રહેવા બદલ શ્રી મુકેશ અંબાણી અને શ્રી અનંત અંબાણીનો હું ખૂબ જ આભાર માનું છું. પૂરના કારણે ઊભી થયેલી મુશ્કેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટેના રાહત કાર્યોને વેગ મળશે.” લગભગ મહિનાથી કરવામાં આવેલા રાહત કાર્યો બાદ મુખ્યમંત્રી રાહતફંડમાં યોગદાન આપવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન રાજ્ય સરકાર અને નાગરિક સમાજ સંગઠનો સાથે મળીને આસામમાં રાહત કાર્યોને સતત જારી રાખવામાં આવશે. પૂરની પરિસ્થિતિનો ખ્યાલ આવતાંની સાથે જ ફિલ્ડ પરની એક ટીમ સાથે રિલાયન્સ ફાઉન્ડેશને આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન, પશુપાલન અને પશુચિકિત્સા વિભાગ, જિલ્લા વહીવટીતંત્રો અને અન્ય નાગરિક સમાજ સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા હતા અને રાહત પૂરી પાડવા અને પૂરને કારણે થતી તકલીફન...

ભારતીય સૈન્‍યમાં ૪ વર્ષ માટે નિમણુક પામશે ‘અગ્નિવીર' : ૩૦,૦૦૦ પગાર : ૪૪ લાખનો હશે વીમો રાજનાથે જાહેર કરી ‘અગ્નિપથ' સ્‍કીમ : યુવા વર્ગને મળશે દેશ સેવાની તક : ૧૭ વર્ષ ૬ મહિનાથી ૨૧ વર્ષનાની થઇ શકશે ભરતી

Image
નવી દિલ્‍હી તા. ૧૪ : રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય સશષા દળોમાં ૪ વર્ષ માટે સૈનિકોની ભરતી કરવા માટે ‘અગ્નિપથ' યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સંરક્ષણ બાબતોની કેબિનેટ સમિતિએ ભારતીય સેનાને વિશ્વની શ્રેષ્ઠ સેના બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. અમે અગ્નિપથ યોજના લાવી રહ્યા છીએ. આ સાથે ભારતીય યુવાનોને ‘અગ્નિવીર' તરીકે સેવા કરવાની તક આપવામાં આવશે. તેનાથી દેશની સુરક્ષા મજબૂત થશે અને યુવાનોને રોજગારીની તકો મળશે. દેશના દરેક યુવાનો જીવનમાં સેનામાં ભરતીનું સપનું જુએ છે. આ અગ્નિપથ યોજનાથી રોજગારની તકો વધશે અને યુવાનોને અન્‍ય ક્ષેત્રોમાં જવાની પણ સારી તકો મળશે. આ સ્‍કીમ હેઠળ ૪ વર્ષ માટે નિમણુંક પામશે યુવાનો, ૩૦,૦૦૦ પગાર તેમજ ૪૪ લાખનો વિમો હશે.  તેમની સાથે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. ‘અગ્નિપથ ભરતી યોજના' હેઠળ, ત્રણેય સેવાઓમાં ૪ વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. ‘ટૂર ઓફ ડ્‍યુટી'નો હેતુ સંરક્ષણ દળોના ખર્ચ અને વયને ઘટાડવાનો પણ છે. આ યોજનાના સાથે, ભારતીય દળોની સરેરાશ વય પ્રોફાઇલ ૩૫ વર્ષથી ઘટાડીને ૨૫ વર્ષ કરવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ સેનાની ત્રણેય પાંખમાં પ્રથમ વર્ષમા...

આજરોજ કલેકટર શ્રી ડૉ.સૌરભ પારધી સાહેબ તથા માન. કમિશ્નર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા રણજીતસાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી

Image
આજરોજ કલેકટર શ્રી ડૉ.સૌરભ પારધી સાહેબ તથા માન. કમિશ્નર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા રણજીતસાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી, હાલે રણજીતસાગર ડેમમાં ૧૯ ફૂટ અને ૪ ઇંચ પાણી ઉપલબ્ધ છે. આગામી ચોમાસા સુધી શહેર ને નિયમિત પાણી વિતરણ કરી શકાય તે અંગે જરુરી સલાહ/સુચના આપવામાં આવેલ છે જામનગર શહેર ને પાણી પૂરું પાડતા ડેમોમાં નીચે મુજબ ની વિગતે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રણજીતસાગર -  ૪૮૯  MCFT સસોઈ ડેમ -       ૩૧૫  MCFT ઉંડ-૧ ડેમ -.        ૩૦૫ MCFT આજી -૩ ડેમ -     ૬૮૧ MCFT ઉપરોક્ત જથ્થાને ધ્યાને લેતા આગામી ૩૧ જુલાઈ -૨૦૨૨ સુધી શહેરને નિયમિત પાણી વિતરણ કરી શકાશે.