Posts

Showing posts from January, 2025

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. ના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીનો જન્મદિન

Image
પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ ) છે અને YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય એવા શ્રી નથવાણી રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ અને આદર્શ માને છે. પરિમલભાઈની કોઠાસૂઝ અને કોઈ પણ સમસ્યામાંથી ત્વરિત ઉકેલ શોધવાના કૌશલ્યને જાણવું હોય તો ગુજરાતના જામનગર સ્થિત દુનિયાની સૌથી મોટી રિફાઈનરી જ જોઈ લો. રિલાયન્સના સ્વપ્નદૃષ્ટા સ્વ. ધીરુભાઈ અંબાણીની પરિકલ્પનાને સાકાર કરવા અતિઆવશ્યક એવા જામનગરના જમીન સંપાદનના અશક્ય ટાસ્કને પરિમલભાઈ બખૂબી પાર પાડી ચૂક્યા છે. એટલું જ નહીં, રિલાયન્સ પેટ્રોલિયમના રિટેલ આઉટલેટ્સ, રિટેલ સાહસોની સ્થાપના, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઈપલાઈન બિછાવવી કે પછી પશ્ચિમના રાજ્યોમાં જિયો મોબાઈલનું નેટવર્ક સ્થાપિત કરવાનું હોય, શ્રી નથવાણીએ આ બધા ટાસ્ક આડેના અવરોધોને આગવી સૂઝબૂઝથી દૂર કર્યા છે. અત્યારે તેઓ ગુજરાતમાં રિલાયન્સના સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ન્યૂ એનર્જી વ્યવસાયનું સુકાન સંભાળી ર...

દ્વારકા ના કુરંગા સ્થિત RSPL ઘડી કંપનીએ દ્વારકા જિલ્લાની 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા.

Image
આજે 76 મા પ્રજાસત્તાક ના અવસરે દ્વારકા ના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની દ્વારા CSR (RSPL વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા દ્વારકા જિલ્લા ની અંદાજિત 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા.આ આયોજન અંતર્ગત શાળાકીય પરીક્ષા મા 1 થી 3 ક્રમ પ્રાપ્ત કરનારા પ્રતિભાશાળી અને તેજસ્વી વિદ્યાર્થીઓ ને તેમની મહેનત માટે સન્માનિત કરાયા. આ કાર્યક્રમો મા RSPL ઘડી કંપનીના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને તેમને શિક્ષણના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો. સાથે જ, આચાર્ય અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરણા આપી. આ અવસરે, RSPL ઘડી કંપનીના પ્રોત્સાહન અને સહયોગના દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રગતિની નવી દિશા અને ઉમંગ પ્રાપ્ત કરશે તેવું શાળાઓ ના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને આગેવાનો એ જણાવ્યું હતું. શિક્ષણ અને સામાજિક જવાબદારીને સૌથી આગળ રાખીને અનેક પ્રકારના સેવાકીય કાર્યો કરનાર RSPL ઘડી કંપની અને તેના કર્મચારીઓ નો શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, આગેવાનો અને વાલીઓ એ પોતાની પ્રશંસાના શબ્દો સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક

Image
:-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી:- મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી ખેડૂતોની સમૃદ્ધિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય  જામનગરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા રાજ્યપાલશ્રીનું આહ્વાન ----------------------- જામનગર જિલ્લાના ૨૭,૮૨૩ ખેડૂતો ૧૮,૦૦૦ થી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે : જિલ્લામાં ૧૭૧ મોડેલ ફાર્મનું નિર્માણ કરાયું જામનગર તા.૧૧ જાન્યુઆરી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે 'રાષ્ટ્રીય મિશન' બની ગયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પા...