Posts

Showing posts from May, 2024

નયારા એનર્જીના પેટ્રોલના વેચાણમાં 48 ટકાનો ઉછાળો, નિકાસોમાં ઘટાડો

Image
ભારતના સૌથી મોટા પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ 2024ના કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પેટ્રોલના વેચાણમાં 48 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે જ્યારે નિકાસો ઘટી છે કારણ કે કંપની ઇંધણ માટે સ્થાનિક માંગને પહોંચી વળી શકી હતી.  જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં નયારાએ સ્થાનિક ભારતીય બજારમાં ગુજરાતમાં તેની વાડીનાર ઓઈલ રિફાઇનરીમાં તેણે ઉત્પાદન કરેલી તમામ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની 70 ટકાનું વેચાણ કર્યું હતું. “નયારા એનર્જી તેના સંસ્થાકીય બિઝનેસ, અન્ય ઓઈલ કંપનીઓને વેચાણ તથા તેની પોતાની રિટેલ ચેઇન દ્વારા ભારતમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની વધી રહેલી માંગને સંતોષવા પર મુખ્યત્વે ધ્યાન આપી રહી છે. ઈન ઈન્ડિયા, ફોર ઈન્ડિયાના તેના મિશન પર આગળ વધતા કંપનીએ સ્થાનિક રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો અને સંસ્થાકીય વેચાણાં 12.5 ટકાનો વધારો નોંધાવ્યો હતો”, એમ કંપનીએ એકનિવેદનમાં જણાવ્યું છે. સ્થાનિક સ્તરે વેચાયેલા પેટ્ર્રોલનો આંક 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં 0.89 મિલિયન ટન સુધી પહોંચ્યો હતો જે જાન્યુઆરી-માર્ચ 2023માં 0.60 મિલિયન ટન હતું. ડીઝલનું વેચાણ 1.7 મિલિયન ટન પર લગભગ યથાવત રહ્યું હતું. ન...

નયારા એનર્જી ભારતમાં ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઊભા કરવા માટે રૂ. 600 કરોડનું રોકાણ કરશે.

Image
દેશમાં ઉત્પાદન વધારવા માટે ઇથેનોલ પ્લાન્ટ્સ ઊભા કરીને તેના બિઝનેસ વર્ટિકલ્સને વધારવાની યોજના આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ એનર્જી સેક્ટરમાં ઇન્ટિગ્રેશન તરફ મહત્વનું પગલું ભરતા ઇથેનોલ પ્લાન્ટ્સ ઊભા કરવા માટે રૂ. 600 કરોડના વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી છે. આ પ્લાન્ટ્સ ઇથેનોલના પુરવઠામાં કંપનીની વિશ્વસનીયતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેના ટકાઉપણાના એજન્ડામાં પ્રદાન આપવા માટે નયારા માટે નિર્ણાયક રહેશે. કંપની દેશમાં સૌથી મોટું પ્રાઇવેટ ફ્યુઅલ નેટવર્ક ચલાવે છે અને ઇથેનોલ પ્લાન્ટ્સ સ્થાપીને એનર્જી સેક્ટરમાં ડાઉનવર્ડ ઇન્ટિગ્રેશન હાંસલ કરવામાં એક મહત્વનું પગલું ભરશે. 2025 સુધીમાં ભારતના ઇથેનોલ બ્લેન્ડિંગ ટાર્ગેટને ધ્યાનમાં રાખતા નયારા એનર્જી આંધ્ર પ્રદેશ તથા મધ્ય પ્રદેશમાં 200 કેએલપીડીના પ્રત્યેક એવા બે ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઊભા કરવાની યોજના ધરાવે છે. કંપનીએ સૂચિત પ્લાન્ટ્સ માટે આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બંને રાજ્યોમાં જમીનની પસંદગી તથા ખરીદી કરી લીધી છે.  આ ગતિવિધિ અંગે નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અલેસાન્ડ્રો દસ ડો...

શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂંટણી પ્રક્રિયાઃ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી

Image
સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું ........................ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય મતવિભાગોના 49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં 2 BUs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના 5.00 કલાક સુધીમાં 116 એટલે કે  0.23 % BU,   114 એટલે કે 0.23 % CU અને 383 એટલે કે 0.78 % VVPAT બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ...