Posts

Showing posts from July, 2023

મરીન નેશનલ પાર્કમાં 3500 એકરમાં મેન્ગ્રૂવ્સ જંગલના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે થયા કરાર

Image
કેન્દ્રિય વન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના શ્રી પરિમલ નથવાણીએ સમજૂતિ પર કર્યા હસ્તાક્ષર આ કરાર અનુસાર આગામી પાંચ વર્ષમાં રૂ.510 લાખના ખર્ચે ચેર વૃક્ષોના વનનું નિર્માણ કરાશે જામનગર તા.6, કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં 3500 એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના સર્જન માટે રાજ્ય સરકાર દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સમજૂતિ કરાર પર આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગર અને દ્વારકાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર તથા રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા ...