Posts

Showing posts from May, 2023

૧૮ મે- વિશ્વ સંગ્રહાલય દિવસ - ‘‘સસ્ટેઇનીબિલિટી એન્ડ વેલ બીઇંગ’’

Image
૯ થી ૧૯ મી સદીના જામનગરના ઐતિહાસિક વારસાનું વર્ણન કરતું પુરાતત્વીય સંગ્રહાલય  લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, તોપ, તામ્રપત્ર, પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગાર તેમજ વ્હેલ માછલીનું હાડપિંજર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર દર વર્ષે 18મી મે ના રોજ વિશ્વ સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્રારા 1992થી દરવર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભવ્ય ઐતિહાસિક વારસો સાચવવા માટે મ્યુઝિયમ ઉપયોગી છે.  આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. ગુજરાતમાં કુલ ૧૮ જેટલા સંગ્રહાલયો આવેલા છે. જે પૈકીનું એક છે જામનગરમાં આવેલું પુરાતત્વીય સંગ્રહાલય. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને વિકાસ કાર્યમાં જામ શ્રી દિગ્વિજય સિંહજીના રસ અને પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ છે, પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના. જામનગર ખાતે સંગ્રહાલય સ્થાપિત કરવા માટે તેઓએ લાખોટા કોઠાને રાજ્યના પુરાતત્વીય વિભાગને ફાળવ્...

જામનગર -ખંભાળિયા ધોરીમાર્ગ આજે સાંજે ફરીથી મરણચીસ થી ગાજી ઉઠયો: બે કાર સામસામે અથડાઈ પડતાં ચાર વ્યક્તિના મૃત્યુ

Image
જામનગરનો સતવારા પરિવાર સગપણ નો પ્રસંગ પૂર્ણ કરીને ખંભાળિયા થી જામનગર ફરતો હતો દરમિયાન ઝાખર ગામના પાટીયા પાસે નડ્યો અકસ્માત  જેનું સગપણ થયું હતું તે યુવાન તથા તેની ભાભી સહિત ચાર વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ: અન્ય પાંચને ઇજા: એકની હાલત ગંભીર જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ આજે ફરીથી રક્ત રંજીત બન્યો છે, અને મૃતકો ની મરણ ચીસથી ગાજી ઉઠ્યો છે. એકી સાથે ચાર ચાર વ્યક્તિના મૃત્યુને લઈને ભારે અરેરાટી ફેલાઈ છે. જામનગરનો એક સતવારા પરિવાર ખંભાળિયામાં સગપણ નો પ્રસંગ પૂર્ણ કરીને પરત ફરતો હતો, ત્યારે જાખર ગામના પાટીયા પાસે અકસ્માત નડ્યો હતો. બે કાર સામસામે અથડાઈ પડતાં જેનું સગપણ થયું હતું, તે યુવાન અને તેના ભાભી સહિત ૪ વ્યક્તિના કરુણ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. સમગ્ર મામલે મેઘપર પોલીસ તપાસ ચલાવે છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા ચેતન ખાણધર નામના ૨૪ વર્ષના યુવાનનું આજે ખંભાળિયા ની એક યુવતી સાથે સગપણ યોજાયું હતું, અને સતવારા પરિવાર આજે સવારે કારમાં બેસીને ખંભાળિયા પહોંચ્યો હતો, અને સગપણ નો પ્રસંગ પૂર્ણ કરીને સાંજના સમયે જામનગર પરત ફરી રહ્યો હ...

નયારા એનર્જીએ યુવા સંચાલિત ચાર સ્ટાર્ટ-અપ્સને સીડ ફંડિંગ અને મેન્ટરશિપ દ્વારા સશક્ત બનાવ્યા

Image
આંતરરાષ્ટ્રીય ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ યુએનડીપી ઈન્ડિયા સાથેની ભાગીદારીમાં 'પ્રોજેક્ટ એક્સેલ' (પ્રોજેક્ટ એક્સેલ) પહેલના ભાગરૂપે ગુજરાતમાં ઈનોવેટિવ અને યુવા-સંચાલિત ચાર સ્ટાર્ટ-અપ્સને ભંડોળ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પ્રોજેક્ટ એક્સેલ એ ગુજરાતના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવાનોમાં ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની તકોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે યુવા આગેવાની હેઠળનો અનોખો સ્ટાર્ટ-અપ ચેલેન્જ પ્રોગ્રામ છે. આ પહેલને 400થી વધુ ઉત્સાહી યુવાનો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો જેમણે આ માટે પોતાની અરજીઓ સોંપી હતી. ઉદ્યોગના નિષ્ણાતો, રોકાણકારો, શિક્ષણક્ષેત્રના નિષ્ણાતો અને જિલ્લા-સ્તરના સરકારી અધિકારીઓની બનેલી પેનલ દ્વારા આકરી પસંદગી પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાંથી યુએનડીપીના આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પરફોર્મન્સ અને બિઝનેસ પિચની યોગ્યતાના આધારે ચાર વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. વિજેતાઓને એક વિશેષ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં શ્રી દર્શન શાહ (ડેપ્યુટી કલેક્ટર, ગુજરાત સરકાર), નયના ગોરડિયા (ડેપ્યુટી પોલીસ અધિક્ષક, જામનગર) જેવ...